Saturday, Sep 13, 2025

સુરતમાં મિસ્ત્રી પરિવારના સાત સભ્યોની સામૂહિક આત્મહત્યા

2 Min Read

પાલનપુર પાટિયા પાસે નૂતન રો-હાઉસની સામે એક ચકચારી ઘટના સામે આવી છે. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારનાના સાત લોકોના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ અંગે તપાસ કરી રહી છે, જોકે પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાની શંકાઓ સેવાઈ રહી છે.

પુત્ર. કુશાલ (ઉં.વ. ૫) પુત્રી કાવ્ય (ઉ. વ. ૯) પુત્રી દિશા(ઉ. વ. ૧૩), પત્ની રિટા, પિતા કનું ભાઈ અને માતા શોભાના બેનના મોત

પરિવારના સાત સદસ્યોમાં પતિ-પત્ની, માતા-પિતા, બે બાળક અને એક બાળકીનો સમાવેશ થાય છે. આ ઘટના અંગે હાલ પોલીસ દ્વારા હાલ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સૌપ્રથમ મૃતકોના મૃતદેહોને દવાખાને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે આસપાસના લોકો તથા પરિવારજનોની પૂછપરછ પણ હાથ ધરી છે. જોકે, હાલ આર્થિક સંકડામણના કારણે પરિવારે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સુરતના રાંદેર રોડ પાલનપુર પાટિયા નજીક રહેતા અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના વતની અને ફર્નિચરના કોન્ટેક્ટ મનીશ સોલંકી (મિસ્ત્રી) સહિત ૭ સભ્યો સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક સમસ્યા અને કારણ ભૂત હોવાનું અનુમાન સુસાઈડ નોટ મળી આવી .

આ પણ વાંચો :-

 

Share This Article