HomeOffbeatપાન કાર્ડ સાથે કરો આ ભૂલ તો ચૂકવવો પડી શકે છે 10,000...

પાન કાર્ડ સાથે કરો આ ભૂલ તો ચૂકવવો પડી શકે છે 10,000 રૂપિયા સુધીનો દંડ

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...
spot_img

દેશમાં આવકવેરાના નિયમ મુજબ પાન કાર્ડ અને આધાર કાર્ડ વગર કોઈપણ નાણાકીય કાર્ય પૂર્ણ કરવું શક્ય નથી. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે પાન અને આધારને લિંક કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ઘણા લોકોએ હજુ પણ પોતાના પાનને આધાર સાથે લિંક નથી કરાવ્યું. આવા લોકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે. આમ છતાં જે લોકો નાણાકીય વ્યવહારોમાં નિષ્ક્રિય પાનનો ઉપયોગ કરી રહ્યા છે તેમને હવે આવકવેરા કાયદાની કલમ 272-B હેઠળ કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ કલમ હેઠળ આવા દરેક વ્યવહાર પર રૂપિયા 10,000 સુધીનો દંડ લાદવામાં આવી શકે છે. સરકારે આ દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે.

પાન-આધાર લિંક ફરજિયાત
આવકવેરા વિભાગ કહે છે કે જો કોઈ વ્યક્તિ ઉચ્ચ મૂલ્યના વ્યવહારોમાં, નિષ્ક્રિય પાનનો ઉપયોગ કરે છે. તો તેના પર દરેક કિસ્સામાં અલગ દંડ લાદવામાં આવી શકે છે. આમાં બેંક ખાતું ખોલવા અથવા ચલાવવા, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા, મિલકત ખરીદવા, લોન માટે અરજી કરવા અને આવકવેરા રિટર્ન ભરવા જેવા વ્યવહારો પણ શામેલ છે.

પાન કેવી રીતે નિષ્ક્રિય થાય
જો તમે તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક ન કર્યું હોય તો તેને નિષ્ક્રિય જાહેર કરવામાં આવે છે. આવા પાન કાર્ડ હવે મોટાભાગના કર અને નાણાકીય હેતુઓ માટે અમાન્ય છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ આ નિષ્ક્રિય પાનનો ઉપયોગ નાણાકીય હેતુઓ માટે કરે છે, તો તેને કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવશે.

Subscribe

Latest stories

spot_img