નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી બેંગલુરુ જેળના સંબંધમાં સેટ રાજ્યોમાં ૧૭ સ્થળો પર તપસ કરી રહી છે. NIA એક પછી આ કેસની તપાસ કરી રહી છે. લશ્કરના આતંકી ટી નસીર પર આરોપ છે કે બેંગલુરુ સેંટરલ જેલની અંદર કેદીઓને આતંકવાદી બનાવવામાં રોકાયેલ છે. આ ઉપરાંત બેંગલુરુ કાફે બ્લાસ્ટ કેસમાં પણ NIAએ તપસ કરી રહી છે. જાણકારી મુજબ બેંગલુરુમાં ઘણી જગ્યાએ NIAના દરોડા પાડવામાં આવ્યા હતા. હજુ પણ ૧૭ સ્થળો સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ તાર પણ આ રેડિક્લાઈઝેશન સાથે જોડાયેલા હોય શકે છે.
NIA દ્વારા આતંકવાદીઓ સાથે સંકળાયેલા હોવાની આશંકા ધરાવતા સ્થળોની તપાસ કરવામાં આવી હતી. ગયા વર્ષે ૯ ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને કર્ણાટકના અલગ-અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના ૧૫ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ NIAની ટીમે મહારાષ્ટ્રના પુણે, મીરા રોડ, થાણે અને કર્ણાટકના બેંગલુરુ સહિત ૪૪ અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન NIAની ટીમે મોટા પ્રમાણમાં રોકડ, ધારદાર હથિયાર, ઘણા દસ્તાવેજો, સ્માર્ટફોન અને બીજી ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી.
અત્યારે NIA બેંગ્લોરમાં આતંકવાદી ષડયંત્રના સંબંધમાં સાત રાજ્યોમાં સર્ચ ચલાવી રહી છે. જાણીતું છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલાક અજાણ્યા બદમાશોએ બેંગ્લોરમાં રાજભવનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જો કે પોલીસે તપાસ બાદ તેને અફવા ગણાવી હતી. આ પછી NIAએ બેંગ્લોરના અડધા ડઝનથી વધુ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચો :-
- પેપર લીક કેસમાં ભરતી બોર્ડના અધ્યક્ષને રૂખસદ
- પીએમ મોદી અને યોગીને મારી નાખવાની ધમકી આપી, વીડિયો પણ બનાવ્યો