HomePoliticsકર્ણાટકમાં નેતૃત્વનો વિવાદ ગરમાયો, શિવકુમારનો સિક્રેટ ડીલનો દાવો

કર્ણાટકમાં નેતૃત્વનો વિવાદ ગરમાયો, શિવકુમારનો સિક્રેટ ડીલનો દાવો

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

કર્ણાટકમાં નેતૃત્વનો વિવાદ ફરી એકવાર ગરમાયો છે. દરમિયાન, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હાઇકમાન્ડને કન્ફ્યુઝન દૂર કરવા કહ્યું છે. તેમનું આ નિવેદન નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના તે દાવા બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતુ કે સત્તા વહેંચણી અંગે પાંચ કે છ પક્ષના સભ્યો વચ્ચે સિક્રેટ ડીલ થઈ હતી. અગાઉ, એઆઈસીસી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનનો મુદ્દો જાહેરમાં ચર્ચા કરવાનો નથી. 20 નવેમ્બરે કોંગ્રેસ સરકાર તેના પાંચ વર્ષના કાર્યકાળનો અડધો ભાગ પૂર્ણ કરી રહી છે, ત્યારે પાર્ટીના ટોચના નેતૃત્વમાં ફેરબદલની અટકળો તેજ થઈ ગઈ છે.

નિર્ણય હાઇકમાન્ડે જ લેવાનો
2023 માં સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે થયેલી સત્તા વહેંચણીની ચર્ચા હવે સમાચારમાં છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે આ બાબતે હાઇકમાન્ડનો નિર્ણય તેમને અને શિવકુમાર સહિત દરેકને લાગુ પડશે. તેમણે કહ્યું, આખરે, નિર્ણય હાઇકમાન્ડે જ લેવાનો છે. અમે તેનું પાલન કરીશું. તેમણે એવી પણ માંગણી કરી કે હાઇકમાન્ડ આ કન્ફ્યુઝનને દુર કરવા માટે નિર્ણય લે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ મુદ્દે રાહુલ ગાંધીને મળવાની તેમની કોઈ યોજના નથી.

પાંચ કે છ લોકો વચ્ચેની સિક્રેટ ડીલ
આ અંગે ડીકે શિવકુમારની પ્રતિક્રિયા એ હતી કે, તેઓ આ મુદ્દા પર જાહેરમાં ચર્ચા કરવા માંગતા નથી કારણ કે તે પાર્ટીની અંદર પાંચ કે છ લોકો વચ્ચેની સિક્રેટ ડીલ હતી. તેમણે કહ્યું, મેં મુખ્યમંત્રી બનાવવાની માંગ નથી કરી. આ પાંચ કે છ લોકો વચ્ચેની સિક્રેટ ડીલ છે. હું આ અંગે જાહેરમાં ચર્ચા કરવા માંગતો નથી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પાર્ટીને શરમજનક કે નબળી પાડવા માંગતા નથી.

દરમિયાન, કોંગ્રેસ પક્ષની અંદરનો આ સત્તા સંઘર્ષ વિપક્ષો, એટલે કે ભાજપ અને જેડીએસ માટે એક હથિયાર બની ગયો છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે શાસક પક્ષના નેતાઓ મુખ્યમંત્રી પદ માટે લડી રહ્યા છે અને શાસનની અવગણના કરી રહ્યા છે.

Subscribe

Latest stories