Sunday, Mar 23, 2025

માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન, 2 શ્રદ્ધાળુઓના મોત

2 Min Read

માતા વૈષ્ણો દેવીની યાત્રા રુટ પર આજે સોમવારે મોટી દુર્ઘટના સર્જાઇ છે. યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતાં શ્રદ્ધાળુઓ દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને 2થી 3 શ્રદ્ધાળુઓના મૃત્યુના અહેવાલ પણ બહાર આવી રહ્યા છે. રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી, જેથી પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાય. વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન સતર્ક રહેવા અને રૂટની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ વધવાની અપીલ કરી છે. ભૂસ્ખલનને કારણે યાત્રાના રૂટ પરની હિલચાલ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે, અને સંબંધિત અધિકારીઓને માર્ગ ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર વર્ષે વૈષ્ણોદેવીના દર્શન કરવા આવે છે. નવરાત્રિના દિવસોમાં અહીં ભારે રહે છે. આખા વર્ષ દરમિયાન અહીં આવતા શ્રદ્ધાળુઓનું આ સ્થાનની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન માનવામાં આવે છે. જો કે, વરસાદની ઋતુમાં માર્ગ લપસણો હોવાને કારણે ચઢાણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓ અહીં આવવાનું ટાળે છે.

દર વર્ષે લાખો લોકો વૈષ્ણો દેવીના દર્શન કરવા જાય છે. વર્ષ 2023માં વિક્રમી સંખ્યામાં ભક્તોએ વૈષ્ણોદેવીની મુલાકાત લીધી હતી. છેલ્લા દાયકામાં, 2023 માં રેકોર્ડ 93.50 લાખ ભક્તોએ વૈષ્ણો દેવીના દર્શન કર્યા હતા. સત્તાવાર આંકડાઓ અનુસાર, જમ્મુના રિયાસી જિલ્લામાં ત્રિકુટ પહાડીઓ પર બનેલા વૈષ્ણો દેવી મંદિરમાં 93.50 લાખ લોકોએ દર્શન કર્યા હતા. અગાઉ 2013માં સૌથી વધુ 93.24 લાખ ભક્તોએ વૈષ્ણોદેવીના દર્શન કર્યા હતા. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં આ વખતે સૌથી વધુ 93.24 લાખ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરવા આવ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article