Saturday, Sep 13, 2025

 તરસ ન લાગે તેમ છતાં પીતાં રહો પાણી, નહીંતર થઈ શકે છે આ ગંભીર બીમારી

3 Min Read

Keep drinking water even if you don’t feel thirsty

  • પાણી શરીરને સારી રીતે કામ કરવા માટે ખૂબ જરૂરી છે. અવાર-નવાર શિયાળામાં લોકો તરસ ઓછી લાગવાના કારણે પાણી પણ ઓછુ પીવે છે. જેના કારણે તેઓ ડિહાઈડ્રેશનના શિકાર થાય છે.

પાણી માણસના શરીર માટે સૌથી જરૂરી છે. પાણીની કમીના (lack of water) કારણે શરીરને ઘણા નુકસાન સહન કરવા પડી શકે છે. તબીબો મુજબ મહિલાઓ માટે દરરોજ 2.7 લીટર અને પુરૂષો માટે 3.7 લીટર પાણી જરૂરી છે. પરંતુ તમે ઘણી વખત પૂરતી માત્રામાં પાણી પીવાનુ ભૂલી જાઓ છો.

ખાસ કરીને શિયાળાની સિઝનમાં વારંવાર તરસ ઓછી લાગવાના કારણે તમે ઓછુ પાણી પીવો છો. ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે. જેનાથી કબજીયાત જેવી ગંભીર સમસ્યા થઇ શકે છે. ડીહાઈડ્રેશનથી શરીરના મુખ્ય અવયવો પર ખરાબ અસર પડે છે.

આ લક્ષણોથી જાણો શરીરમાં થઈ ગઈ છે પાણીની કમી :

શરીરમાં પાણીની કમી થતા અથવા ડિહાઈડ્રેશનના શિકાર લોકોને સામાન્ય લોકોની તુલનામાં ભૂખ ઘણી વધારે લાગે છે. તેમને કઈકને કઈક ખાવાની ક્રેવિંગ થતી રહે છે. એવામાં અચાનક ભૂખ વધવી પણ પાણીની કમીનો સંકેત આપે છે. લો બ્લડ પ્રેશર, થાક, માથામાં દુ:ખાવો, ગભરાહટ અને વધુ ઊંઘ આવવી પણ શરીરમાં પાણીની કમી તરફ ઈશારો કરે છે. એવામાં ભરપૂર માત્રામાં પાણી પીને આ લક્ષણોને દૂર કરી શકાય છે.

આ લક્ષણોથી જાણો શરીરમાં થઇ ગઇ છે પાણીની કમી :

શરીરમાં પાણીની કમી થતા અથવા ડિહાઈડ્રેશનના શિકાર લોકોને સામાન્ય લોકોની તુલનામાં ભૂખ ઘણી વધારે લાગે છે. તેમને કઈકને કઈક ખાવાની ક્રેવિંગ થતી રહે છે. એવામાં અચાનક ભૂખ વધવી પણ પાણીની કમીનો સંકેત આપે છે. લો બ્લડ પ્રેશર, થાક, માથામાં દુ:ખાવો, ગભરાહટ અને વધુ ઊંઘ આવવી પણ શરીરમાં પાણીની કમી તરફ ઈશારો કરે છે. એવામાં ભરપૂર માત્રામાં પાણી પીને આ લક્ષણોને દૂર કરી શકાય છે.

Share This Article