Thursday, Oct 23, 2025

૧૧ જૂન, ૨૦૨૫ : બુધવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ, આવકના નવા સ્ત્રોત મળશે, જૂઓ આજનુ રાશિફળ

3 Min Read

મેષઃ-

આવક‌નું પ્રમાણ જળવાય. પરિવારમાં પરસ્પર પ્રેેમ જળવાય. મિલકત અંગેના અગત્યના નિર્ણયાે ટાળવા. આર્થિક રોકાણ કરતી વખતે સાવચેતી જરૂરી. વાહન સાચવીને ચલાવવું. પત્નિ સાથે મનમેળ જળવાય.

વૃષભઃ-

નાણાં‌કીય પાસુ મજબૂત ‌બનતું જણાય. પરિવાર માં સ્નેહનું વાતાવરણ રહેશે. આનંદ-ઉત્સાહ માં વધારો થતાે જણાય. દામ્પત્ય જીવનમાં સ્નેહ નું વાતાવરણ જળવાય.ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ-

નાણાંનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે. પરિવારના સ્ત્રી વર્ગ નું આરોગ્ય કથળતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. ચામડીના રોગોની કાળડી રાખવી. દંગા-ફટકાનો ભોગ ન બનાય એની સાવચેતી જરૂરી.

કર્કઃ-

દિવસ દરમ્યાન શુભફળનો અનુભવ થાય.નાણાં ની ધુટ વર્તાય. સંતાનની પ્રગતિ ના સાક્ષી બની શકો. વિદ્યાર્થી વર્ગને સફળતા. પત્નિ સાથે આનંદ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

સિંહઃ-

થોડી માનસિક ચિંતા રહે. શરદી ખાંસી નો ઉપદ્રવ રહેશે. નાણાંકીય બાબતો અંગે લાભ. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય. નવા વાહન ની ખરીદી શકય બને. માતા-પિતા નું આરોગ્ય જળવાય.

કન્યાઃ-

કરેલા કાર્યાે સફળ થતા જણાય. પરિવારમાં સુખ શાંતિ-સંપ જળવાય. નાના. યાત્રા પ્રવા, ના યોગ બને છે. ભાગ્ય બળવાન બનતા ઓછી મહેનતે વધુ લાભ મળે. આરોગ્ય જળવાશે.

તુલાઃ-

મોજશોખમાં ખર્ચ વધે સાથેસાથે આવકનું પ્રમાણ પણ જળવાય. નવા વસ્ત્રો ખરીદવાની ઇચ્છા થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. માતૃસુખમાં વૃધ્ધિ થતી જણાય. ભાગ્યનો સાથ મળતો છે.

વૃશ્ચિકઃ-

માનસિક આનંદ બરકરાર રહે. હોંશયારી અને કાબેલીયત થી સફળતા મળે. અધિકારનો દુરુપયોગ ન કરવો. વાણી ઉપર કાબુ રાખવો. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. કરિયાણા, શાકભાજી, ધાતુ ના ધંધા માં લાભ.

ધનઃ-

માનસિક અશાંતિ વધે. નકારાત્મક વિચારો વધે. પાણી થી દૂર રહેવું. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ-

મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી ની વડે. આવકના નવા સ્ત્રોત ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાં નો બગાડ અટકાવવો. કોસ્મેટ‌ીકસ, સ્ત્રી શણગારનો ધંધામાં લાભ.

કુંભઃ-

નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઇચ્છુકને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ વધતો જણાય. યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. આવકનું પાસુ જ‍ળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવા.સંતાનો સાથે શાંતિ રાખવી.

મીનઃ-

ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ સફળતા મળે. નાણાંકીય બાબતોમાં આનુકુળતા જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. પિતાની તબિયત સાચવવી.માનાદાનિ ના યાેગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું.

Share This Article