Monday, May 18, 2026

ISROએ પ્રથમ રોકેટ અગ્નિબાણ સૉર્ટેડનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

2 Min Read

સ્પેસ સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસ્મોસે આજે ૩૦ મેના રોજ તેનું પ્રથમ રોકેટ અગ્નિબાણ સૉર્ટેડનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. જો કે આ ટેસ્ટ પ્રક્ષેપણ અગાઉ મંગળવારના રોજ થવાનું હતું, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર લોન્ચિંગ બે વાર મોકૂફ રાખવામાં આવ્યું હતું. ખાનગી કંપનીઓ અને સ્પેસ ડિપાર્ટમેન્ટ વચ્ચે સેતુનું કામ કરતા ઈન્સ્પેસે કંપની વતી આ માહિતી શેર કરી અને કહ્યું કે, આજે ગુરુવારે અગ્નિકુલના રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Imageરક્ષા મંત્રાલયે પણ એક નિવેદનમાં કહ્યું છે કે રૂદ્રમ… મિસાઇલના ઉડાન પરીક્ષણે તમામ ટેસ્ટ પૂર્ણ કર્યા છે. ભારતે બુધવારે ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના સુખોઈ-૩૦ ફાઈટર એરક્રાફ્ટમાંથી ‘રુદ્રમ’ એર ટુ સરફેસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, “ડીઆરડીઓએ ૨૯ મેના રોજ સવારે ૧૧:૩૦વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના સુખોઈ-૩૦MK-II પ્લેટફોર્મ પરથી રુદ્રમ-૨ એર-ટુ-સરફેસ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

હકીકતમાં, મંગળવારે સવારે કસોટી થવાની હતી. સવારે ૯.૨૫ વાગ્યે તેનું પરીક્ષણ થવાનું હતું, પરંતુ ટેક-ઓફની માત્ર ૫ સેકન્ડ પહેલાં, લોન્ચને હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું અને પછી લોન્ચને રદ્દ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગ્નિકુલ કોસ્મોસનું અગ્નિબાણ રોકેટ બે તબક્કાનું રોકેટ છે. આ રોકેટ ૭૦૦ કિમીની ઉંચાઈ સુધી પહોંચવામાં અને ૩૦૦ કિલોગ્રામ સુધીનું પેલોડ વહન કરવામાં સક્ષમ છે. આ પહેલા વર્ષ ૨૦૨૨માં સ્કાયરૂટ કંપનીએ ઈસરોની લોન્ચ સાઇટ પરથી ભારતનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ લોન્ચ કર્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article