Saturday, Sep 13, 2025

જૈશ-એ-મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો હોવાના દાવા

2 Min Read

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર સોમવારે બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો હોવાના અહેવાલો છે. જોકે, જૈશ-એ-મોહમ્મદના વડો મસૂદ અઝહર સવારે ૫ વાગ્યે બહાવલપુર મસ્જિદમાંથી પરત ફરતી વખતે ‘અજ્ઞાત વ્યક્તિઓ’ દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો હતો.

મૌલાના મસૂદ અઝહરનો જન્મ બહાવલપુરમાં થયો હતો. તેના ૯ અન્ય ભાઇ-બહેન પણ હતા. અઝહરના પિતા અલ્લાહ બખ્શ શબ્બીર એક સરકારી સ્કૂલના પ્રિન્સિપલ હતા, તેનો પરિવાર ડેરી અને પૉલ્ટ્રી ફાર્મ સાથે જોડાયેલો હતો. આ આતંકીએ બાનુરી નગર, કરાચીની જામિયા ઉલૂમ ઉલ ઇસ્લામિયા નામની મદ્રસામાંથી તાલીમ મેળવી હતી. આ સમયે તેનો સંપર્ક હરકત-ઉલ-અંસાર નામના સંગઠન સાથે થયો હતો. નેપાળના કાંઠમાંડુમાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન આઇસી ૮૧૪એ દિલ્હી માટે ઉડાન ભરી હતી. પ્લેનને ટેકઓફ કરવાના થોડી વાર પછી પાંચ પાકિસ્તાની આતંકીઓએ તેને હાઇજેક કરી લીધુ હતુ. આતંકી વિમાનને લઇને અફઘાનિસ્તાનના કંદહાર શહેર પહોંચી ગયો હતો તેમણે મુસાફરોને છોડવાના બદલે ભારતીય જેલમાં કેદ ૩૫ આતંકીઓને છોડવાની માંગ કરી હતી અને ૨૦૦ મિલિયન અમેરિકન ડૉલરની માંગ કરવામાં આવી હતી. આ હાઈજેકની પાછળ મસૂદ અઝહરનો હાથ હતો તેવું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article