HomeNationalIndian Railways: ટ્રેન ટિકિટ પર હવે મળશે 20 ટકા સુધીની છૂટ, જાણો...

Indian Railways: ટ્રેન ટિકિટ પર હવે મળશે 20 ટકા સુધીની છૂટ, જાણો કેવી રીતે લાભ મેળવવો

Date:

Related stories

ખાંડના ભાવમાં અચાનક ઉછાળો કેમ? જાણો ભાવ વધવા પાછળના 5 મોટા કારણો

તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં જ દેશમાં ખાંડના ભાવમાં...

Video: ઉસૈન બોલ્ટનો રેકોર્ડ તૂટ્યો! માણસ કરતાં પણ ઝડપી દોડ્યો આ રોબોટ

ટેક્નોલોજી વિકસાવવાની દોડમાં ચીનનો નવો પાસો લાવી શકે છે...

આધુનિક ‘દ્વીચાલી’, પતિ અને પ્રેમી સાથે ઘર માંડવાની મહિલાની જીદ

ઉત્તર પ્રદેશના સીતાપુરથી સંબંધોને લઈને એક એવો કિસ્સો સામે...

ગુજરાતી ભાષા ક્યાંથી આવી અને કેવી રીતે બની આટલી સમૃદ્ધ? જાણો રસપ્રદ ઈતિહાસ

ગુજરાતી માત્ર વાતચીતની ભાષા નથી, પરંતુ સદીઓના ઇતિહાસ, સંસ્કૃતિ,...

ભારતીય રેલવેએ પોતાના યાત્રીઓ માટે એક મોટી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મુસાફરોને હવે ટ્રેન ટિકિટના બુકિંગ પર 20 ટકાસુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. 8 ઓગસ્ટના રોજ એક આદેશ જારી કરીને રેલવેએ આ અંગેની માહિતી આપી છે. આ નવી યોજનાને ‘રાઉન્ડ ટ્રિપ પેકેજ’ નામ આપવામાં આવ્યું છે.

ક્યારથી લાગુ થશે ડિસ્કાઉન્ટ

રેલવેના જણાવ્યા અનુસાર જો કોઈ યાત્રી એકસાથે આવવા-જવાની ટિકિટ બુક કરાવે છે તો તેને વાપસીની ટિકિટ પર 20 ટકાની છૂટ મળશે. તહેવારોના સમયમાં ટ્રેનોમાં થતી ભારે ભીડ અને ટિકિટની અછતને રોકવા માટે રેલવે દ્વારા આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ નવી ડિસ્કાઉન્ટ યોજનાની શરૂઆત 13 ઓક્ટોબરથી થશે અને યાત્રીઓ 1 ડિસેમ્બર સુધી આ સુવિધાનો લાભ લઈ શકશે.

યોજનાનો લાભ લેવા માટેની શરતો અને નિયમો

  • યાત્રીનું નામ બંને ટિકિટ પર સમાન હોવું ફરજિયાત છે.
  • બંને ટિકિટ એક જ ક્લાસની હોવી જોઈએ.આ સુવિધા ફક્ત કન્ફર્મ ટિકિટો પર જ ઉપલબ્ધ થશે.
  • આ ટિકિટોમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.
  • આ પેકેજ હેઠળ બુક કરાયેલી ટિકિટો પર રિફંડની કોઈ સુવિધા આપવામાં આવશે નહીં.
  • આવા ટિકિટો પર અન્ય કોઈ ઓફર માન્ય રહેશે નહીં.આ સુવિધા દેશભરની તમામ ટ્રેનો અને તમામ ક્લાસમાં ઉપલબ્ધ રહેશે.
  • બંને ટિકિટ એક જ સમયે અને એક જ માધ્યમથી બુક કરાવવાની રહેશે.
  • યાત્રીઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આ છૂટનો લાભ લઈ શકે છે.

Subscribe

Latest stories