Thursday, May 22, 2025

રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, અમદાવાદના જાણીતા ગાયક નીરજ પરીખનું નિધન

1 Min Read

ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આજે 8મેને ગુરુવારે સાંજે થયેલા એક માર્ગ અકસ્માતમાં ગુજરાતના જાણીતા શાસ્ત્રીય ગાયક નીરજ પરીખનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર, નીરજ પરીખ પરિવાર સાથે નાથદ્વારા દર્શન કરીને પરત આવતા હતા ત્યારે અતસ્માત થયો હતો. અહીં એક ટ્રેલરે તેમની ગુજરાત પાસિંગની કારને ટક્કર મારી હતી જેમાં 2 લોકોના મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે જેમાં એક જાણીતા શાસ્ત્રીય ગાયક નીરજ પરીખ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

શારદાના ડીએસપી ચાંદમલ સિંગારિયાએ જણાવ્યું હતું કે ક્ષતિગ્રસ્ત કારમાં ફસાયેલા લોકોને ખૂબ જ મુશ્કેલીથી બચાવવામાં આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક પ્રસાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. દરમિયાન, મૃતદેહોને શબઘરમાં રાખવામાં આવ્યા હતા. ક્રેનની મદદથી વાહનોને દૂર કરવામાં આવ્યા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

મૃતકોમાંથી ત્રણ સુરતના છે. શારદાના એસએચઓ ઉમેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે જ્યારે પ્રસાદ પોલીસ સ્ટેશન નજીક હાઇવે પર જામ હતો, ત્યારે ગુજરાત નંબર પ્લેટવાળી કાર અથડાઈ હતી. દરમિયાન, પ્રસાદ કલ્વર્ટ નજીક, એક ટ્રેલરે રોડવેઝ બસ અને ત્રણ કારને ટક્કર મારી. હાઇવે મોબાઇલ ટીમ અને રાહદારીઓની મદદથી, બધા ઘાયલોને સીએચસી પ્રસાદ લઈ જવામાં આવ્યા.

Share This Article