ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભ પહોંચ્યા બાદ સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અને બાબા રામદેવે પણ ગૃહમંત્રીની સાથે ડૂબકી લગાવી હતી. આ દરમિયાન ત્યાં હાજર સંતોએ પણ સંગમમાં સ્નાન કર્યું હતું.
મહાકુંભમાં પહોંચતા પહેલા શાહે લખ્યું- હું સંગમમાં સ્નાન કરવા આતુર છું. શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને સવારથી જ તમામ ઘાટ પર બોટનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું. લેટે હનુમાન મંદિરમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.
મહાકુંભમાં આજે ધર્મ સંસદ બોલાવવામાં આવી છે. જેમાં સનાતન બોર્ડની રચનાની જાહેરાત કરવામાં આવશે. ચાર શંકરાચાર્ય, 13 અખાડા અને હજારો ઋષિ-મુનિઓ આ નિર્ણયને મંજૂરી આપશે. સનાતન બોર્ડમાં દેશભરના 200 મુખ્ય મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માર્ગદર્શક મંડળના પ્રમુખ મહામંત્રી સહિત તમામ અધિકારીઓ પસંદ કરી લેવામાં આવ્યા છે.
હવે સ્ટીમર દ્વારા સંગમ જવાના છે. તેણે સાઇબેરીયન પક્ષીઓને અનાજ ખવડાવ્યું. જુના અખાડાના મહામંડલેશ્વર અવધેશાનંદ સહિત અન્ય ઘણા સંતોની મુલાકાત કરી હતી. ઉલ્લેખનિય છે કે તેઓ ડૂબકી લગાવ્યાં બાદ સ્નાન કર્યા પછી, સ્ટીમર દ્વારા કિલા ઘાટ પર જશે, અક્ષય વટના દર્શન કરશે. બપોરે 1.45 કલાકે જુના અખાડા પહોંચશે. ઋષિ-મુનિઓ સાથે મુલાકાત અને ભોજન કરશે. જુના અખાડામાં દોઢ કલાક એટલે કે બપોરે 3.15 વાગ્યા સુધી રહેશે. આ પછી તેઓ દિલ્લી રવાના થશે.
મહાકુંભમાં પહોંચતા પહેલા શાહે લખ્યું- “હું સંગમમાં સ્નાન કરવા આતુર છું”. શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને સવારથી જ તમામ ઘાટ પર બોટનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું. લેટે હનુમાન મંદિરમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજ પહોંચી ગયા છે. તેઓ સીએમ યોગી સાથે મહાકુંભમાં ડૂબકી લગાવશે. જુના અખાડામાં સંતો-મુનિઓ સાથે ભોજન કરશે. શાહ લગભગ 5 કલાક સુધી મહાકુંભમાં રહેશે.
આ પણ વાંચો :-