Saturday, Sep 13, 2025

દિલ્હીના કનોટ પ્લેસના ગોપાલદાસ બિલ્ડીંગમાં ભીષણ આગ

1 Min Read

રાજધાની દિલ્હીના કનોટ પ્લેટ વિસ્તારમાં આવેલી ગોપાલદાસ બિલ્ડિંગમાં ગુરુવારે ભીષણ આગની ઘટના બની. આગ ઓલવવા માટે લગભગ ૧૬ ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને ત્યારબાદ મહામહેનતને આગ પર કાબૂ મેળવાયો હતો.

દિલ્હીના બારાખંબા રોડ પર સ્થિત ગોપાલદાસ બિલ્ડીંગમાં આગની ઘટના બની હતી. આગની આ ઘટના બિલ્ડિંગના ૧૧મા માળે બની હતી. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની ૧૬ ગાડીઓ સ્થળ પર હાજર છે.

આ દરમિયાન બિલ્ડિંગના ૧૬મા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વખતે ૧૧મા માળે આગ લાગી છે. જો કે આનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે. ફાયર વિભાગના કર્મચારીઓ તેમને બચાવવા માટે બિલ્ડિંગની અંદર ગયા છે.

આ પણ વાંચો :-

Share This Article