સુરતમાં વિદેશમંત્રીની યુવાનો સાથે ચર્ચા

Share this story

ભારત સરકારના વિદેશ મંત્રી એસ. જયશંકર બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે સુરત ખાતે ઇન્ટ્રેક્ટ વિથ યંગ બિઝનેસ લીડર ઓફ સુરતમાં વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા યુવા વેપારી મિત્રોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડોં. ગોપાલ ગૌસ્વામી દ્વારા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા વેપાર ઉદ્યોગ તેમજ ભારતની વિશ્વમાં સન્માન જનક સ્થિતિ માટેના પ્રશ્નો પૂછ્યા અને તેના જયશંકરજીએ યુવા ઉદ્યોગપતિઓને જાણકારી માટેના યોગ્ય જવાબો આપી લોકોને ખૂબ જ જાણકારી ભર્યા જવાબો આપ્યા.

આ કાર્યક્રમ યુવા ઉદ્યોગપતિ ઓ ખૂબ જ પ્રભાવિત થયા જયશંકરજીએ વિશ્વ સાથે ભારતના સબંધો તેમજ ભવિષ્યમાં ભારત જે રીતે આગળ વધી રહ્યું છે વિશ્વ ગુરુ બની રહ્યું છે નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં એની જાણકારી આપી .આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરતના યુવા ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 

વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતની વિદેશનીતિ પર એક ટુંકો ખ્યાલ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે જ્યારે પણ કોઇ વિદેશ પ્રવાસે હોઇએ છે અને ખાસ તો વડાપ્રધાન મોદી સાથે જ્યારે પણ વિદેશનો પ્રવાસ હોય એ ખાસ હોય છે. તેમણે અલગ અલગ દેશોમાં જોયેલી વસ્તુને ભારતમાં કઇ રીતે આકાર આપી શકાય તે માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી વિચારની પ્રશંસા કરતા વિવિધ કિસ્સાઓ સંભળાવ્યા હતા. આ દરમિયાન તેમણે કરેલી કેટલીક રમુજી ટિપ્પણી પર પણ શ્રોતાઓએ તાળી પાડીને તેમની વાતને વધાવી હતી.

દિશા ફાઉન્ડેશનના ગોપાલ ગોસ્વામીએ વિવિધ મુદ્દાઓ પર વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વિસ્તૃત વાતો કરી હતી. વિદેશમંત્રીએ તમામ મુદ્દાઓ પર પોતાનો મત આપ્યો હતો. આવાસ યોજના હેઠળ ૨૦ કરોડ લોકોને ઘર આપ્યા હોવાનો દાવો પણ વિદેશમંત્રીએ કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન એસ. જયશંકરે ૨૦૧૪ બાદ દેશની વિદેશનીતિ કેવા પ્રકારની રહી અને તેની શું અસર થઇ તેનો ચિતાર આપ્યો હતો. વિદેશનીતિ કઇ રીતે વેપારને અસર કરે છે તેની પણ સચોટ વાત વિદેશમંત્રીએ કરી હતી.

આ પણ વાંચો :-