HomeNationalલોકસભા ચૂંટણીના EXIT POLL આજે થશે જાહેર

લોકસભા ચૂંટણીના EXIT POLL આજે થશે જાહેર

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

લોકસભા ચૂંટણી માટે સાતમા અને અંતિમ તબક્કાના મતદાન બાદ ૧ જૂન એટલે કે આજની સાંજે એક્ઝિટ પોલ જાહેર થશે. ટીવી ચેનલો અને સર્વે એજન્સીઓ ૫૪૩ લોકસભા બેઠકો માટે તેમના અંદાજો રજૂ કરશે. તે સ્પષ્ટ થઈ જશે કે આગામી ૪ જૂને ભાજપની આગેવાની હેઠળની NDA અથવા વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન સરકાર બનશે. ગુજરાતમાં લોકસભાની ૨૫ બેઠકો માટે ૭ મેના રોજ મતદાન થયું હતું. ગુજરાતમાં કુલ ૬૦.૧૩ ટકા મતદાન થયું હતું. સુરત લોકસભા બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે.

Exit Polls Results LIVE For Lok Sabha Election 2024: Date, Time And Where  To Watch Poll Of Polls? - Oneindia Newsસાતમા તબક્કાના મતદાન વચ્ચે આજે દિલ્હીમાં I.N.D.I.A. બ્લોકની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષોએ ભાગ લીધો હતો. આ બેઠક બાદ કોંગ્રેસે એક્ઝિટ પોલમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વિટ કર્યું કે, પૂર્વ નિર્ધારિત એક્ઝિટ પોલ પર ભાજપ અને તેની સિસ્ટમનો પર્દાફાશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

CSDSના સંજય કુમાર કહે છે કે, આજકાલ ઘણા એક્ઝિટ પોલમાં માત્ર સીટોની સંખ્યા આપવામાં આવે છે, વોટ ટકાવારીનો આંકડો આપવામાં આવતો નથી. તેમજ તેઓ તેમના એક્ઝિટ પોલ કરાવવાની પદ્ધતિ વિશે સચોટ માહિતી આપતા નથી. શું આવા મતદાનને પણ એક્ઝિટ પોલ ગણવા જોઈએ? આ વાસ્તવમાં અંદાજિત મતદાન છે. ક્વોટાની ટકાવારીનો અંદાજ કાઢ્યા વિના બેઠકોની સંખ્યાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય તેની કલ્પના કરવી મુશ્કેલ છે.

જાણો ગુજરાતમાં કઈ બેઠક પર કોણ મેદાનમાં?

લોકસભા બેઠક ભાજપ કોંગ્રસ – આપ
ચ્છ (SC) વિનોદ ચાવડા નિતેશ લાલણ
બનાસકાંઠા ડો. રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોર
પાટણ ભરતસિંહ ડાભી ચંદનજી ઠાકોર
મહેસાણા હરિભાઈ પટેલ રામજી ઠાકોર
સાબરકાંઠા શોભના બારૈયા તુષાર ચૌધરી
ગાંધીનગર અમિત શાહ સોનલ પટેલ
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ હિંમતસિંહ પટેલ
અમદાવાદ  પશ્ચિમ (SC) દિનેશ મકવાણા ભરત મકવાણા
સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા ઋત્વિક મકવાણા
રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી
પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા
જામનગર પુનમબેન માડમ જે.પીમારવિયા
જૂનાગઢ રાજેશ ચુડાસમા હિર જોટવા
અમરેલી ભરત સૂતરિયા જેની ઠુંમર
ભાવનગર નીમુબેન બાંભણિયા ઉમેશ મકવાણા (AAP)
આણંદ મિતેશ પટેલ અમિત ચાવડા
ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી
પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચૌહાણ
દાહોદ (ST) જસવંતસિંહ ભાભોર ડોપ્રભા તાવિયાડ
વડોદરા ડો. હેમાંગ જોશી જસપાલસિંહ પઢિયાર
છોટાઉદેપુર (ST) જશુભાઈ રાઠવા સુખરામ રાઠવા
ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (AAP)
બારડોલી (ST) પ્રભુ વસાવા સિદ્ધાર્થ ચૌધરી
સુરત મુકેશ દલાલ નિલેશ કુંભાણી (સસ્પેન્ડ)
નવસારી સી.આર. પાટીલ નૈષધ દેસાઈ
વલસાડ (ST) ધવલ પટેલ અનંત પટેલ
તબક્કા વાર કેટલા ટકા થયું મતદાન 
  • પહેલો તબક્કો: ૬૬.૧૪ ટકા મતદાન
  • બીજો તબક્કો: ૬૬.૭૧ ટકા મતદાન
  • ત્રીજો તબક્કો: ૬૫.૬૮ ટકા મતદાન
  • ચોથો તબક્કો: ૬૯.૧૬ ટકા મતદાન
  • પાંચમો તબક્કો: ૬૨.૨૦ ટકા મતદાન
  • છઠ્ઠો તબક્કો: ૬૩.૩૬ ટકા મતદાન

એક્ઝિટ પોલ અને ભારતના સંબંધની વાત છે તો સ્વતંત્રતા પછીની બીજી સામાન્ય ચૂંટણી દરમિયાન ૧૯૫૭માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઓપિનિયન દ્વારા હાથ ધરવામાં આવેલો પહેલો સર્વે તેના વડા એરિક ડી’કોસ્ટા દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે તેને એક્ઝિટ પોલ ગણવામાં આવ્યો ન હતો. ત્યારબાદ વર્ષ ૧૯૮૦ અને ૧૯૮૪માં ડો. પ્રણય રોયના નેતૃત્વમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ દ્વારા ભારતમાં ૧૯૯૬માં એક્ઝિટ પોલની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img