HomeGujaratરાજ્યમાં ભારે વરસાદના કારણે GPSC દ્વારા કાલે લેવાનાર DYSOની પરીક્ષા મોકૂફ

રાજ્યમાં ભારે વરસાદના કારણે GPSC દ્વારા કાલે લેવાનાર DYSOની પરીક્ષા મોકૂફ

Date:

Related stories

PM Modi Birthday 2026: જાણો PM મોદીના 76મા જન્મદિવસે દેશભરમાં કેવી થઇ અનોખી ઉજવણી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત દેશના વિવિધ...

76મો જન્મદિવસ અને મફત 76 કપ ચા… બિહારના ચા વાળાની અનોખી ઉજવણી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે દેશના અલગ-અલગ વિસ્તારોમાં લોકો...

ST ડેપોમાં મીઠાઈનું પેકેટ લઈને ઊભી હતી મહિલા, થેલો ખોલતાં નીકળ્યું આટલા ગ્રામ MD ડ્રગ્સ

ગાંધીનગર એસટી ડેપો પર સામાન્ય મુસાફરીની આડમાં નશીલા પદાર્થોની...
spot_img

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ -3 પ્રિલિમ્સ 2023 નું પરિણામ 18/03/2024 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતુ. જેની પ્રથમિક કસોટી GPSC દ્વારા 15/10/2023 ના રોજ લેવામાં આવી હતી. એવામાં GPSC દ્વારા DySO ની મુખ્ય પરીક્ષાનો (DySO Mains Exam) કાર્યક્રમ અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો તે જ યથવાત રહેશે. જાહેરાત ક્રમાંક 42/2023-24 DySO પોસ્ટ માટેની મુખ્ય પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવશે. 28 ઓગસ્ટથી આ પરીક્ષા શરૂ થવાની હતી જેનો આગામી કાર્યક્રમ થોડા દિવસ બાદ જાહેર કરવામાં આવશે.

GPSC Exam: Eligibility, Fees, Syllabus, Pattern - CareerGuide

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-3 ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક : 42/2023-24 માટે તા.15/10/2023 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું પરિણામ તા.18/03/2024 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં કુલ-3342 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પાસ કરવામાં આવ્યા છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, 28મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30મી ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઈંચ વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ફરી 30 થી 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. સંત સરોવરના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. આજે વધુ બે દરવાજો ખોલવામાં આવ્યો છે. ગઇ કાલે 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સંત સરોવરના 5 દરવાજા ખોલતા ઉપરવાસના ગામડાઓને એલર્ટ કરાયા છે. ઇન્દ્રોડા, ઘોડાકુવા, નભાઈ, રાયસણ, રાંધેસણ, કોબા ગામના લોકોને એલર્ટ કરાયા છે. કોઈ વ્યક્તિએ માછલી પકડવા કે પાણી જોવા સંત સરોવર ઉપર ન જવા તંત્રએ આદેશ કર્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img