CBI કેસમાં કેજરીવાલને ૧૨ જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડી

Share this story

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઈઝ પોલિસી સંબંધિત CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧૨ જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. CBIએ ૨૬ જૂને દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. સીબીઆઈને કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલના ૩ દિવસના રિમાન્ડ મળ્યા હતા જેમાં તે અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવા માંગતી હતી.

ડીપી સિંહે કહ્યું કે સીબીઆઈ પાસે પુરાવા છે કે સાઉથ ગ્રુપે એક્સાઈઝ પોલિસી કેવી રીતે તૈયાર કરવી તે જણાવ્યું હતું. સાઉથ ગ્રુપ દિલ્હી આવ્યું તે સમયે કોરોના ચરમસીમાએ હતો અને લોકો મરી રહ્યા હતા. તેણે રિપોર્ટ બનાવી અભિષેક બોઈનપલ્લીને આપ્યો. આ રિપોર્ટ વિજય નાયર દ્વારા મનીષ સિસોદિયાને આપવામાં આવ્યો હતો. ડીપી સિંહે કહ્યું કે કોરોના દરમિયાન ઉતાવળમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. તેની પાછળ અરવિંદ કેજરીવાલનો હાથ હતો.

ગઈ સુનાવણીમાં કેજરીવાલની તબિયત બગડી હતી ૨૬ જૂને CBIએ કેજરીવાલને કોર્ટમાં રજૂ કર્યા હતા. સુનાવણી દરમિયાન કેજરીવાલે કહ્યું કે મીડિયામાં એવા સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે કે મેં સિસોદિયા પર લિકર પોલિસી મામલે આરોપો લગાવ્યા છે. આ ખોટું છે. મેં કહ્યું કે કોઈ દોષિત નથી. સિસોદિયા પણ દોષિત નથી. તેના પર સીબીઆઈના વકીલે કહ્યું કે મીડિયામાં જે પણ ચાલી રહ્યું છે તે સાચું છે. બધું તથ્યો પર આધારિત છે.

આપને જણાવી દઈએ કે ૨૧ માર્ચે અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી ધરપકડથી રક્ષણ ન મળતાં ૨૧ માર્ચે મોડી સાંજે ઈડીએ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી. ૧૦ મેના રોજ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ૧ જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા અને ૨ જૂને તેમને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. કેજરીવાલે ૨ જૂને આત્મસમર્પણ કર્યું હતું. ૨૧મી જૂને રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને નિયમિત જામીન આપ્યા હતા, જેના પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવી દીધી છે.

આ પણ વાંચો :-