સુરતમાં એક જ પરિવારના ચાર વૃદ્ધજનોના મોત બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પરિવારમાં ચાર વૃદ્ધો રાત્રે સુઈ ગયા હતાં અને સવારે ઉઠ્યા નહોતા. જેથી તેમણે સામૂહિક આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ ઘટના બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.ઘટનાને પગલે આજુબાજુનાં ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે.
શહેરમાં એક જ પરિવારના ચાર વૃદ્ધજનોના મોત બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પરિવારમાં ચાર વૃદ્ધો રાત્રે સુઈ ગયા હતાં અને સવારે ઉઠ્યા નહોતા. જેથી તેમણે સામૂહિક આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ ઘટના બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.ઘટનાને પગલે આજુબાજુનાં ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે.
મૃતકોના નામ
- જસુબેન કેશુભાઈ વાઢેર
- હીરાભાઈ રત્ના ભાઈ મેવાડા
- ગૌરી બેન હીરાભાઈ મેવાડા
- શાંતાબેન નાનજી ભાઈ વાઢેર
હંસાબેને કહ્યું કે, આ મારા વેવાણ થાય. મેં દીકરી આપી હતી. અમને ફોન આવ્યો એટલે દોડા દોડ આવ્યાં હતાં. અમારા છોકરા અને વહુ આવ્યાં હતાં. પરિવારમાં દીકરી જમાઈ અને વેવાણ પણ છે. ભત્રિજીએ કહ્યું કે, રાત્રે મેમાન આવ્યા હોવાથી જમીને સૂતા હતાં. મેમાન જુદા પડ્યાં. વહુને છોકરો નીચે ગયા હતાં. સવારે નાસ્તો આપવા વહુ ઉપર ગઈ હતી. પરંતુ દરવાજો ખોલતા નહોતા. શું થયું તે કોઈને અંદાજ આવતો નથી. સવારે તેમના દીકરાએ મને જાણ કરી હતી. મારા કાકી બેંકમાં કામ કરતાં હતાં.
આ પણ વાંચો :-