સુરતમાં મૌલાના સાથે સંપર્કમાં રહેલા અશોક સુથારને ધર્મ પરિવર્તન કરાવ્યું

Share this story

સુરતમાં મૌલાના કેસમાં વધુ એક ખુલાસો થયો છે. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ યુવાનનું ધર્મપરિવર્તન કરાવ્યું હતુ. ત્યારે મૌલવી સાથે સંપર્કમાં રહેલા બિકાનેરનાં અશોક સુથાર ઉર્ફે અબુબકરને લઈ ખુલાસો થવા પામ્યો છે. જેમાં અબુબકર પાકિસ્તાની યુવતીઓ સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ અશોકનું બ્રેઈનવોશ કર્યું હતું. તેમાં આરોપી અશોક કામરેજના મૌલાના સુહેલના સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાની યુવતીઓનાં સંપર્કમાં આવ્યા બાદ ધર્મ પરિવર્તન કર્યું હતું.

કોમ્પ્યુટર ક્લાસીસ ચલાતા અસોક સુથાર ઉર્ફે અબુબકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાનની યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ માટે ચેટ કરતો હતો. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઈન વોશ કરી દીધું હતું. જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હતું. દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી અબુબકર બન્યો હતો. અબુબકર બન્યા બાદ જેહાદમાં જોડાયો હતો.

અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત ૩ આરોપીની ધરપકડ કરાઈ છે. મૌલવી સોહેલ પાસેથી ૨ કાર્ડ અને જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે. ૧૭ જેટલા વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. ૪૨ ઇ-મેઈલ આઇડી પરથી શેહનાઝ ધમકીઓ આપતો હતો. સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ મળ્યા છે. હવાલાના માધ્યમથી મની ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓના પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના પુરાવા પણ મળ્યા છે.

આરોપીઓને પાકિસ્તાનથી નાણા પૂરા પાડવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ-અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા. સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા, નિશાંત શર્માને ગૃપ કોલથી ધમકી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, આ કેસમાં અત્યાર સુધી મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલ, મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફ રઝા અને બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-