સુરત રેલવે સ્ટેશન પર ભાગદોડમાં એકનું મોત

Share this story

સુરતમાં રેલવે સ્ટેશન પર ભગદડ મચી ગઈ છે. તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં અનેકગણો વધારો થાય છે. આવી સ્થિતિમાં રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવી રેલવે માટે ઘણી વખત મુશ્કેલ બની જાય છે. મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.

વંંુપરુપ

આજે સવારે સુરત રેલવે સ્ટેશન પર સર્જાયેલી સ્થિતિએ તંત્ર માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જી દીધી હતી. ૧૭૦૦ સીટ ધરાવતી છપરા જતી તપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ ૪ પર આવી તો અફરાતરફી મચી ગઈ હતી. ભીડ ટ્રેનમાં ચઢવા બેકાબુ બની જતા ત્રણ લોકો ગભરામણથી બેભાન થઇ ગયા હતા. એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની પણ માહિતી જાણવા મળી છે જોકે હજુ વાતને સત્તાવાર સમર્થન મળ્યું નથી

સુરતમાં ટ્રેનમાં ચઢવા જીવ જોખમમાં મુકતા લોકો જોવા મળ્યા હતા. ટ્રેનના ટ્રેક પર વિખેરાયેલી ચપ્પલો અને પ્લેટફોર્મ પર બેભાન પડેલા લોકોની મદદે પોલીસ દોડી આવી હતી. ૧૦૮ની ટીમ પણ મદદે આવી ગઈ હતી. અહીંના હાલત ખુબજ ચોંકાવનારા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :-