HomeNationalનૂહમાં નમાઝ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, લાકડીઓ-ડંડાઓ ચાલ્યા, 12 ઘાયલ

નૂહમાં નમાઝ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, લાકડીઓ-ડંડાઓ ચાલ્યા, 12 ઘાયલ

Date:

Related stories

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું,...

મેડિકલ સાયન્સ માટે પણ પડકાર! 4 હાથ-4 પગવાળા બાળકનો જન્મ, ડોક્ટરોએ શું કહ્યું?

સામાન્ય રીતે સંતાન જન્મે એટલે પરિવારમાં ખુશી છવાઈ જતી...

આજે ઈદ-ઉલ-ફિતર 2025ના અવસર પર દેશભરમાં નમાઝ અદા કરવામાં આવી. આ દરમિયાન કેટલાંક સ્થળોએ ઈદના ઉત્સવમાં બવાલ પણ જોવા મળ્યો. તાજેતરમાં મળતી માહિતી મુજબ, હરિયાણાના નૂહમાં ઈદની નમાઝ બાદ બે જૂથો વચ્ચે લાકડીઓ-ડંડાઓ સાથે અથડામણ થઈ, જેમાં અનેક લોકો ઘાયલ થયા.

હરિયાણાના નૂહમાં ઈદના પર્વ પર વિવાદ જોવા મળ્યો. બે પક્ષો વચ્ચેનો વિવાદ એટલો વધ્યો કે તે હિંસક અથડામણમાં પરિવર્તિત થઈ ગયો. આ દરમિયાન બેહદ ઉગ્ર મારામારી થઈ. નમાઝ બાદ થયેલા ઘર્ષણનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં બે જૂથો લાકડીઓ અને ડંડાઓ સાથે એકબીજા પર તૂટી પડ્યા.

આ સમગ્ર ઘટના બિછોર પોલીસ સ્ટેશનના તિરવાડા ગામની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઈદના જશ્ન દરમિયાન જૂની દુશ્મનાવટને લઈને બે જૂથો અથડાયા. આ અથડામણમાં લગભગ 12 લોકો ઘાયલ થયા, જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હિંસા ત્યારે શરુ થઈ જ્યારે ઈદગાહમાં નમાઝ અદા કર્યા બાદ ઘરે પરત ફરી રહેલા એક જૂથના સભ્યોનો બીજા પક્ષ સાથે વિવાદ થયો. આ વિવાદ એટલો વધી ગયો કે બંને પક્ષોએ લાકડીઓ-ડંડાઓ ઉઠાવી લીધા. પોલીસના જણાવ્યા અનુસાર, તિરવાડા ગામમાં સવારે નવ વાગ્યે આ ઘટના બની, જ્યાં રાશિદ અને સાજિદ નામના યુવાનોના જૂથો જૂની દુશ્મનાવટને કારણે ભીડ્યા.

માહિતી મળ્યા બાદ અનેક પોલીસ સ્ટેશનોની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી. ત્યાર બાદ હિંસા રોકાઈ અને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પોલીસે જણાવ્યું કે રાશિદ અને સાજિદ જૂથ વચ્ચે પહેલાથી જ જૂનો વિવાદ ચાલી રહ્યો છે અને અગાઉ પણ બંને પક્ષો વિરુદ્ધ કેસ દાખલ થઈ ચૂક્યા છે. હાલ બંને પક્ષોના લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પોલીસે જણાવ્યું કે તપાસ બાદ એફઆઈઆર નોંધવામાં આવશે.

Subscribe

Latest stories