Thursday, Oct 23, 2025

ગાંધીનગર મનપાના પદાધિકારીઓનો ઉધડો લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

1 Min Read

કેન્દ્રીય મંત્રી અમિત શાહ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર મનપાનો ઉધડો લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર મનપાના અધિકારી-પદાધિકારીની બેઠક બોલાવી હતી. ગાંધીનગર મેયર દ્વારા મુખ્યમંત્રીની બેઠકને સમીક્ષા બેઠક ગણાવી હતી. મુખ્યમંત્રી દ્વારા વરસાદ બાદ જનતાને તકલીફ ના પડે તે માટે કામગીરી કરવા સૂચના આપી છે. રોડ રસ્તાની 1500 જેટલી ફરિયાદો ગાંધીનગર મનપાને મળી છે. જેમાંથી મોટાભાગની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનો મેયરે દાવો કર્યો છે.

Share This Article