HomeNationalઆ શેર ખરીદો અને અધધધ..... કમાવો

આ શેર ખરીદો અને અધધધ….. કમાવો

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની દેશની સૌથી વેલ્યૂએબલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક બેઠકમાં એક મોટું એલાન કરાયું. મુકેશ અંબાણીએ તેમની કંપનીના શેરહોલ્ડર્સને 1:1 શેર્સ બોનસમાં આપવાની જાહેરાત કરી.

આ બેઠકમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ, મુકેશ અંબાણી, 35 લાખથી વધુ શેરધારકોને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધિત કરી રહ્યા છે. આ બેઠક રિલાયન્સ અને તેના શેરધારકો બંને માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તેમાં કંપનીની ભાવિ વૃદ્ધિ યોજનાઓ સાથે જ Jioના IPO વિશે કેટલીક મોટી જાહેરાતો અપેક્ષિત છે.

Mukesh Ambani tops Forbes richest Indian list for 12th year | સતત 12મા વર્ષે પણ દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા મુકેશ અંબાણી

શેરધારકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 5 સપ્ટેમ્બર, 2024ના રોજ 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી શકે છે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2024માં કંપનીનું કોન્સોલિડેટેડ ટર્નઓવર 10,00,122 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. આ સાથે, રિલાયન્સ એ ભારતની પ્રથમ કંપની બની છે જે 10 લાખ કરોડની આવકને પાર કરી ગઇ છે. ગયા 3 વર્ષોમાં, રિલાયન્સે કુલ રૂ. 5.28 લાખ કરોડનું રોકાણ કર્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશમાં સૌથી મોટા રોજગારદાતાઓની યાદીમાં યથાવત છે. કંપનીએ ગયા વર્ષે 1.7 લાખ નવી નોકરીઓનું સર્જન કર્યું હતું, જેને કારણે ટોટલ કર્મચારીઓની સંખ્યા 6.5 લાખની નજીક પહોંચી ગઈ છે. મુકેશ અંબાણીએ ઉમેર્યું કે Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનું માર્કેટ કેપ વધીને રૂ. 2.2 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે. આ વાર્ષિક સામાન્ય સભામાં આ તમામ માપદંડો અને જાહેરાતો કંપનીના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને તે shareholders માટે મોટું મહત્વ ધરાવે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img