Wednesday, Oct 29, 2025

ભારતીયો ને ઈઝરાઇલમાં રોજગારની ઊજળી તકો, મોત ને પણ એટલુ જોખમ

2 Min Read

હમાસ-ઇઝરાઇલ યુદ્ધના કારણે વિશ્વમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે અને મૃત્યુઆંક પણ દિવસેને દિવસે વધતો જાય છે, એવામાં આ યુદ્ધથી ભારતને એક સારી તક મળી શકે છે. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાઇલ સરકાર એક લાખ ભારતીયોને તેના દેશમાં નોકરી આપવાની તૈયારી કરી રહી છે. જો આવું થશે તો ઇઝરાઇલમાં કામ કરનારા પેલેસ્ટાઇની નાગરીકોનું સ્થાન ભારતીય નાગરિક લઇ લેશે.

એક અમેરિકન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાઇલ બિલ્ડર્સ એસોસિએશને ઇઝરાઇલ સરકાર પાસે દેશની બાંધકામ કંપનીઓમાં એક લાખ ભારતીયોને નોકરી આપવાની મંજૂરી માંગી છે. જેઓ 90 હજાર પેલેસ્ટિનિયન ગામોમાં કામ કરશે અને કામદારોની જગ્યા લેશે. જોકે આ અંગે હજુ વિદેશ મંત્રાલયે કોઈ ટિપ્પણી કરી નથી. એવા અહેવાલો છે કે, ઇઝરાઇલના બાંધકામ ક્ષેત્રના ૨૫ ટકા કામદારો પેલેસ્ટિનિયન છે.

ઇઝરાઇલ-હમાસ વચ્ચેના યુદ્ધને આજે એક મહિનોપૂર્ણ થયો છે પરંતુ તેનો અંત હજુ સુધી દેખાઈ રહ્યો નથી. આ હુમલામાં આશરે ૧૪૦૦ જેટલા ઇઝરાયેલના નાગરિકો માર્યા ગયા હતા અને ગાઝાનો મૃત્યુઆંક ૧૦ હજારને વટાવી ગયો છે. અત્યાર સુધી બંને તરફથી કુલ ૧૧ હજાર લોકોના મૃત્યુ થયા છે. હમાસે ૨૪૦લોકોને બંધક બનાવી દીધા હતા. ઇઝરાઇલએ હમાસને ખતમ કરવા માટે સોગંદ ખાધી હતી અને જવાબી કાર્યવાહી કરી હતી. તેણે ગાજા પટ્ટી પર અનેક બોમ્બ વસાવ્યા હતા જેમાં અત્યાર સુધી ૯,૫૦૦ જેટલા પેલેસ્ટાઈન વાસીઓ માર્યા ગયા છે.

આ પણ વાંચો :-

Share This Article