Friday, Oct 31, 2025

સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, UP પોલીસ એલર્ટ

1 Min Read

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મામલે સેન્ટ્રલ ઝોનના મેટ્રોપોલિટન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.નવાઈની વાત એ છે કે ખુદ હેડ કોન્સ્ટેબલને જ ફોન કરીને CM યોગી વિશે આ ધમકી આપવામાં આવી છે. આ મામલે લખનૌ કોતવાલીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધાયેલી એફઆઈઆર મુજબ, ફરિયાદી હેડ કોન્સ્ટેબલ ઉધમ સિંહે જણાવ્યું કે પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. જેમાં એક અજાણ્યા યુવકે કહ્યું કે સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.

ફરિયાદી હેડ કોન્સ્ટેબલ ઉધમ સિંહે જણાવ્યું કે પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. જેમાં એક અજાણ્યા યુવકે કહ્યું કે સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ પ્રકારનાં ભેદી ફોન કોલથી સમગ્ર વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આવો કોલ કરીને પોલીસ કંટ્રોલ રૂમને ધમકી આપનાર વ્યક્તિની ઝડપી શોધખોળ હાથ ધરી છે.

સીએમ યોગી આદિત્યનાથને અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. ગયા વર્ષે પણ એક યુવકે સોશિયલ મીડિયા હેન્ડલ X દ્વારા મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારબાદ પોલીસે તેની મુંબઈથી ધરપકડ કરી હતી. આરોપી ભદોહીનો રહેવાસી હતો.

આ પણ વાંચો :-

Share This Article