Wednesday, Dec 10, 2025

જમ્મુથી જોધપુર જતી ટ્રેનમાં મળી બોમ્બની ધમકી, ફિરોઝપુરમાં રોકવામાં આવી સોમનાથ એક્સપ્રેસ

2 Min Read

ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકીના સતત અહેવાલો આવી રહ્યા છે. શાળાઓ અને હોસ્પિટલોમાં બોમ્બ મૂકવાની ધમકીઓ પણ મળી હતી. હવે ટ્રેનને લઈને આવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. સોમનાથ એક્સપ્રેસમાં બોમ્બ હોવાની માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને આપી હતી. આ ટ્રેન જમ્મુ અને રાજસ્થાન વચ્ચે દોડે છે. ધમકી બાદ સોમનાથ એક્સપ્રેસને પંજાબના ફિરોઝપુર જિલ્લાના રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.

Bomb scare at Jalandhar Cantt rly station : The Tribune India

ટ્રેન નંબર 9226માં બોમ્બની સૂચના મળી છે. સૂચના મળતા જ પંજાબના ફિરોઝપુરના કાસુ બેગુ રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. રેલવે સ્ટેશન પર જ આખી ટ્રેનને ખાલી કરવામાં આવી છે અને ચેકિંગ કરવામાં આવ્યું છે.

જમ્મુથી જતા સમયે ટ્રેને ફિરોઝપુર રેલવે સ્ટેશને ક્રોસ કર્યું હતું ત્યારે કંટ્રોલ રૂમ પર સુરક્ષા એજન્સીઓએ ઇનપુટ આપ્યા હતા. ઇનપુટ હતા કે ટ્રેનમાં બોમ્બ હોઇ શકે છે. ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે અને હજુ સુધી કોઇ આપત્તિજનક વસ્તુ મળી નથી. મહત્ત્વપૂર્ણ છે કે ફિરોઝપુરથી ટ્રેન સવારે 7.30 વાગ્યે રવાના થઇ હતી. RPF પાસે એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેને કહ્યું કે ટ્રેનમાં બોમ્બ છે.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) સૌમ્ય મિશ્રાએ જણાવ્યું હતું કે સોમનાથ એક્સપ્રેસમાં બોમ્બ હોવાનો દાવો કરીને પોલીસ કંટ્રોલ રૂમને કોલ કરવામાં આવ્યો હતો. આ પછી તરત જ ફિરોઝપુરથી લગભગ 10 કિલોમીટર દૂર કાસુ બેગુ રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે પંજાબ પોલીસની એન્ટી બોમ્બ સ્ક્વોડની ત્રણ ટીમોને બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article