Saturday, Feb 7, 2026

પાકિસ્તાનની શિયા મસ્જિદમાં જુમ્માની નમાજે બ્લાસ્ટ, આત્મઘાતી હુમલામાં 24નાં મોત, 101 ગંભીર

1 Min Read

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જુમ્માની નમાઝ વખતે એક મસ્જિદમાં મોટો ધમાકો થયો છે, જેમાં 24 લોકોનાં મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકોને ઈજા પહોંચી છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે વિસ્ફોટના સ્થળે અફડાતફડીનું નિર્માણ થયું હતું. ઘટનાસ્થળે પોલીસ અને આર્મીની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે પીડિતોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર આ વિસ્ફોટ કસર-એ-ખદીજતુલ કુબરા મસ્જિદમાં વિસ્ફોટ થયો છે, જે શહેરની સૌથી મોટી મસ્જિદ કહેવાય છે. ઘટનાના સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા છે. વિસ્ફોટ પછી લોકો દોડધામ કરી મૂકી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદમાં ઈમરજન્સી લાગુ કરી છે.

પાટનગરના તારલાઈ વિસ્તારની મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે, જે શિયા સમુદાયના લોકો માટે જાણીતી છે. આ હુમલામાં આત્મઘાતીના ચિથરા ઉડી ગયા હતા. સ્યુસાઈડર બોમ્બરે નમાઝ વખતે પોતાને ઉડાવ્યો હતો.

પાકિસ્તાનમાં શિયા સમુદાયના બે કરોડ લોકો છે, જ્યારે કુલ વસ્તીની સંખ્યા લગભગ દસથી બાર ટકા છે. નવેમ્બર 2025 પછી ઈસ્લામાબાદમાં આ બીજો વિસ્ફોટ છે. અહીં એ જણાવવાનું કે 2025માં ઈસ્લામાબાદ કોર્ટની બહાર પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકોનાં મોત થયા હતા, જ્યારે 36 લોકો ઘાયલ થયા હતા.

Share This Article