ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું રાજીનામાં પર CR પાટીલનું મોટું નિવેદન

Share this story

લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા ભાજપમાં પણ ભડકો થયો છે. વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. રસપ્રદ વાત એ છે કે, કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર સિંહ ચૌધરીને ઇમેલથી રાજીનામાનો પત્ર મોકલ્યો છે. જોકે નિયમ મુજબ જ્યાં સુધી ધારાસભ્ય રૂબરુ આવીને વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે.

કેતન ઇનામદારે પોતાનું રાજીનામું રાજ્ય વિધાનસભાના અધ્યક્ષને ઈમેલ દ્વારા મોકલી આપ્યું છે. કેતન ઇનામદારે તેમના મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમને લાગે છે કે, પાર્ટીએ જૂના સમયના પાર્ટીના માણસો માટે આદર જાળવવો જોઈએ, જેમણે પાર્ટી માટે પોતાનો સમય અને સંસાધનોનું બલિદાન આપ્યું છે.

ધારાસભ્ય કેતન ઇનામદારના જણાવ્યું મુજબ, લોકસભાની ચૂંટણીને અને તેમના રાજીનામાને કોઈ લેવા દેવા નથી. તેઓ રંજનબેન ભટ્ટને  સપોર્ટ કરી રહ્યા છે. તેઓએ તેમની અંતર આત્માના અવાજને માન આપીને આ રાજીનામું સોંપ્યું હોવાનું જણાવ્યું છે. ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યા મુજબ, ભારતીય જનતા પાર્ટીએ કાર્યકરોની પાર્ટી છે, પરંતુ ક્યાંકને ક્યાંક તેમનો અવાજ ત્યાં રુંધતો હોય તેવું તેમને લાગ્યું છે. જેથી તેઓ ધારાસભ્ય પાસેથી રાજીનામું આપી રહ્યો છું.

કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ રાજ્યમાં રાજકિય માહોલ ગરમાયો છે. ભાજપમાં ભૂકંપની સ્થીતી સર્જાઇ છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારે નારાજગી સામે આવતા હડકંપ મચ્યો છે. સાવલીના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવાના પ્રયાસ તેજ કરાયા છે. જિલ્લા પ્રભારી રાજેશ પાઠકે મુખ્યમંત્રી સાથે વાત કરાવી હતી. એટલુ જ નહી. CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સાથે વીડિયો કોલથી વાત કરાવવામાં આવી હતી.

આ પણ વાંચો :-