HomeGujaratવસ્ત્રાપુર NRI ટાવર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, યશ ગોહિલ સામે પત્નીની હત્યાની...

વસ્ત્રાપુર NRI ટાવર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, યશ ગોહિલ સામે પત્નીની હત્યાની ફરિયાદ

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં બનેલી ફાયરિંગની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ હૃદયદ્રાવક કિસ્સામાં હવે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શરૂઆતમાં જે ઘટના અકસ્માત લાગતી હતી, તે હવે હત્યા અને આત્મહત્યાનો ગંભીર ગુનો સાબિત થતી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

વસ્ત્રાપુર પોલીસ મથકમાં એ ડિવિઝન એસીપી (ACP) જયેશ ડી. બ્રહ્મભટ્ટ પોતે ફરિયાદી બન્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, યશ ગોહિલ ઉર્ફે યશકુમાર સિંહે પોતાની પત્ની રાજેશ્વરી ગોહિલની ઇરાદાપૂર્વક હત્યા કરી હતી. તપાસના આધારે યશ ગોહિલ સામે પત્નીની હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

PM રિપોર્ટ અને FSL તપાસનો ખુલાસો

  • આ કેસમાં સૌથી મહત્વનો વળાંક પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ આવ્યો છે.
  • હત્યાનો ઇરાદો: PM રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે રાજેશ્વરીનું મોત માથાના ભાગે ખૂબ જ નજીકથી ગોળી વાગવાને કારણે થયું હતું.
  • અકસ્માતની શક્યતા નકારી: શરૂઆતમાં એવી અટકળો હતી કે રિવોલ્વર સાફ કરતી વખતે કે ભૂલથી ગોળી છૂટી ગઈ હશે. પરંતુ, બેલેસ્ટિક નિષ્ણાતો અને FSL તપાસમાં જાણવા મળ્યું છે કે આધુનિક રિવોલ્વરમાં આ રીતે આકસ્મિક રીતે ફાયર થવાની કોઈ શક્યતા નથી. ગોળી જાણી જોઈને ટ્રિગર દબાવીને ચલાવવામાં આવી હતી.
  • પુરાવા: ઘટનાસ્થળેથી મળેલી રિવોલ્વરમાં માત્ર બે જ કારતૂસ હતા અને બંનેનો ઉપયોગ થઈ ગયો હતો. યશે પત્નીને માર્યા બાદ તે જ રિવોલ્વરથી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

એસીપી જે.ડી. બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, રિવોલ્વરને ફિંગરપ્રિન્ટ અને બેલેસ્ટિક તપાસ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસ હવે એ પાસા પર તપાસ કરી રહી છે કે યશ પાસે આ રિવોલ્વર ક્યાંથી આવી અને તેની પાસે તેનું લાયસન્સ હતું કે નહીં. આ ઉપરાંત, આ દંપતી વચ્ચે એવા તે કેવા વિખવાદ હતા કે મામલો લોહિયાળ અંજામ સુધી પહોંચ્યો, તે જાણવા માટે પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.

Subscribe

Latest stories