Sunday, Sep 14, 2025

જયપુરમાં RSS ના કાર્યક્રમમાં હુમલો, 8 સ્વયંસેવક ઘાયલ

2 Min Read

જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક કાર્યક્રમ દરમિયાન ચાકુ અને લાકડીઓથી થયેલા હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી જ્યારે શરદ પૂર્ણિમાના અવસરે જયપુરના કરણી વિહારમાં ખીર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

જયપુરમાં સંઘના ખીર વિતરણ સમારોહમાં છુરાબાજી, 8 ઘાયલ

આ દરમિયાન છરી અને લાકડીઓ લઈને આવેલા કેટલાક અજાણ્યા લોકોએ સંઘના કાર્યકરો પર હુમલો કર્યો હતો. હુમલામાં 7 થી 8 કાર્યકરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોની જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ધારાસભ્ય ગોપાલ શર્મા અને અન્ય લોકો ઘાયલોની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ અંગે ડીસીપી (પશ્ચિમ) અમિત કુમારે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સાતથી આઠ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે એસએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દરમિયાન મંત્રી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે તેઓ હોસ્પિટલ ગયા છે અને ઘાયલોને મળ્યા છે. રાજસ્થાનમાં કાયદાનું શાસન રહેશે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “આજે કરણી વિહાર પોલીસ સ્ટેશન હેઠળના રજની વિહારમાં સંઘના કાર્યક્રમ દરમિયાન સંઘના સ્વયંસેવકો પર કેટલાક અસામાજિકોએ હુમલો કર્યો હતો. માહિતી મળતાં તેઓ તાત્કાલિક અસરથી એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા અને તમામ ઘાયલ સ્વયંસેવકોની સંભાળ લીધી. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article