નવલી નોરતાની રાત એવા નવરાત્રી પર્વ ચાલી રહ્યા છે. આ પર્વ દરમિયાન ખેલૈયાઓ ગરબે ઝૂમતા હોય છે. માતાના ગરબા ના તાલે નાચતા હોય છે. જે નવરાત્રી પર્વનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષે બદલાયો છે. કારણ કે જે નવરાત્રી પહેલા શેરી ગરબા સ્વરૂપે લોકો ઉજવણી કરતા હતા તે હવે પાર્ટી પ્લોટ અને ક્લબોમાં સાઉન્ડ સિસ્ટમ સાથે મનાવાઇ રહી છે. પરંતુ હજુ પણ કેટલાક સ્થળો એવા છે કે જ્યાં શેરી ગરબા ની પરંપરા યથાવત છે.
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ ભંડેરી પોળના રહીશોએ સાચવી રાખી છે. જેઓ શેરી ગરબા કરીને નવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે. સાથે જ છેલ્લા 30 વર્ષથી તેઓ માતાજીની મૂર્તિ શુદ્ધ ઘી માંથી બનાવીને નવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે. જે મૂર્તિ છેલ્લા 30 વર્ષથી પોળ અને પોળના બહારના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર પણ બની છે.
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ૧૫૨ કિલો શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવેલ મૂર્તિને સાચવવા માટે દરરોજ 600 કિલો જેટલો બરફનો ઉપયોગ કરાય છે. સાથે જ મૂર્તિ પર ઠંડા પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે. જેથી કરીને ઘીની મૂર્તિ ઓગળે નહીં. મૂર્તિ બન્યા બાદ તેનો ઉઠાવ આવે તેના માટે મૂર્તિ પર વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી કલરનો ઉપયોગ કરી તેને શણગારવામાં પણ આવી છે.
જે મૂર્તિ નવરાત્રી પર્વ શરૂ થયેથી પૂનમ સુધી આ મૂર્તિના દર્શન માટે ખુલ્લી રાખવામાં આવે છે. આમ ૧૫ દિવસમાં 9000 કિલો બરફનો મૂર્તિને સાચવવા માટે કરવામાં આવે છે. ત્યાર બાદ આ મૂર્તિનું ઘી ઓગાળી તેને લોટ સાથે મિક્સ કરીને નદીમાં પધરાવવામાં આવે છે. જેથી કરીને લોકોની આસ્થા અને શ્રદ્ધા જળવાઈ રહે. એમજ આ પોળ ખાતે નવરાત્રીના એક દિવસે વેશભૂષા કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. જ્યાં લોકો પૌરાણિક કથા પ્રમાણેના વસ્ત્રો પહેલી ઉજવણી કરે છે. જેથી પૌરાણિક સંસ્કૃતિ પણ જળવાઈ રહે. અને આજના આધુનિક જમાના સાથે ચાલતા યુવાનોને પૌરાણિક સંસ્કૃતિ શુ છે તેનાથી માહિતગાર પણ કરી શકાય.
આ પણ વાંચો :-