અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર બહુ ઐશ્વર્યા રાયને અનફોલો કરી, જાણો શું છે નારાજગી નું કારણ

Share this story

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેમના પરિવાર તેમજ શો ને ળઇમને અને ફિલ્મોને લઇને પણ પોસ્ટ કરતાં રહે છે. બિગ બીના ઈન્સ્ટાગ્રામ પર ૩૬.૩ મિલિયન ફોલોઅર્સ છે. આ સિવાય અમિતાભ ૭૪ લોકોને ફોલોબેક કરે છે. ખાસ વાત એ છે કે આ ૭૪ લોકોમાં અભિષેક બચ્ચન અને ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સ હાજર છે.

ઇન્સ્ટાગ્રામ પર બીગ બીના આટલા ફોલોવર્સ છે પરંતૂ બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ આ યાદીમાં નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અમિતાભ બચ્ચને ક્યારેય ઐશને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કર્યું જ નથી. જ્યારે કેટલાક ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બચ્ચન પરિવારમાં કંઇક રંધાઇ રહ્યું છે.

તાજેતરમાં જ અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાની પહેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું પ્રીમિયર યોજાયું હતું, જ્યાં આખો બચ્ચન પરિવાર જોવા મળ્યો હતો. આ પ્રસંગે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, આરાધ્યા બચ્ચન, અજિતાભ બચ્ચન, નિખિલ નંદા અને શ્વેતા બચ્ચન સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ઐશ્વર્યાએ એ સમાચાર પર પણ પૂર્ણવિરામ મૂક્યું હતું જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે અભિનેત્રીએ અભિષેક બચ્ચનથી છૂટાછેડા લઈ લીધા છે.

આ પણ વાંચો :-