બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવી દેવામાં આવી છે. દેશમાં હજુ પણ હિંસા પ્રવર્તી રહી છે અને ઘણી જગ્યાએ હિંદુ મંદિરો પર હુમલા પણ થયા છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હવે આ વાયરલ વીડિયો પ્રકાશમાં આવ્યા બાદ રાજકીય બયાનબાજી તેજ થઈ ગઈ છે. આ મુદ્દે સીએમ યોગી આદિત્યનાથે પણ મોટું નિવેદન આપ્યું છે.
અયોધ્યા મુલાકાત પર પોતાના નિવેદનમાં સીએમ યોગીએ બાંગ્લાદેશનું નામ લીધા વિના કહ્યું કે, ‘હિંદુઓને શોધીને માર મારવામાં આવી રહ્યો છે. આપણે ઈતિહાસમાંથી સીખ લેવી પડશે. આપણે દૃઢ નિશ્ચય સાથે કામ કરવું પડશે. આજે અયોધ્યાવાસીઓને દેશભરમાં સન્માન મળી રહ્યું છે. માન-સન્માન મેળવવા માટે આદર સુરક્ષિત રાખવો પડે છે. સનાતન ધર્મ પર આવનાર સંકટ સામે સાથે મળીને કામ કરવાની જરૂર છે. મિલ્કીપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને મુખ્યમંત્રીએ નામ લીધા વગર આ નિવેદન આપ્યું છે.
હકીકતમાં, છેલ્લા બે દિવસ દરમિયાન હિન્દુઓના મંદિરો અને ઘરોને સળગાવવાના અને તોડફોડના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ સમય દરમિયાન યુઝર્સ આને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે સીએમ યોગીએ પહેલીવાર આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વર્તમાન ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને કડક સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી આદેશ સુધી બાંગ્લાદેશની મુસાફરી ન કરે. હાલમાં બાંગ્લાદેશમાં રહેલા તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખે, તેમની હિલચાલ મર્યાદિત કરે અને ઢાકામાં ભારતીય હાઈ કમિશન સાથે ઈમરજન્સી ફોન નંબર દ્વારા સંપર્કમાં રહે.
આ પણ વાંચો :-