HomeInternationalકોરોના મહામારી પછી લોકોના સરેરાશ આયુષ્ય ૧.૬ વર્ષ ઘટ્યું, જાણો ધ લેન્સેટ...

કોરોના મહામારી પછી લોકોના સરેરાશ આયુષ્ય ૧.૬ વર્ષ ઘટ્યું, જાણો ધ લેન્સેટ જર્નલ શું કહ્યું ?

Date:

Related stories

4 સપ્ટેમ્બરે આ રાશિઓ પર રહેશે ખાસ કૃપા! ધન, કરિયર અને પ્રેમ માટે જાણો આજનું રાશિફળ

4 સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ...

આજે જન્માષ્ટમી પર અષ્ટમી-રોહિણીનો સંયોગ, જાણો કાન્હાના જન્મનું શુભ મુહૂર્ત

શ્રીકૃષ્ણના જન્મોત્સવની રાહ જોઈ રહેલા ભક્તો માટે આ મુહૂર્ત...
spot_img

કોરોના મહામારી પછી લોકોના જીવનમાં ઘણુ પરિવર્તન આવ્યુ છે. જીવનશૈલીમાં બદલાવ થયો છે તેની સાથે આયુષ્યમાં પણ નોધપાત્ર ઘટાડો થયો છે. આજે દુનિયામાં લોકો પહેલાની સરખામણીએ ઓછુ જીવી રહ્યા છે. સરેરાશ આયુષ્ય ૭૩ વર્ષ હતુ. પરંતુ કોરોના મહામારીને કારણે લોકોનું આયુષ્ય ઘટ્યુ છે. જિંદગીમાં ૧.૬ વર્ષનો ઘટાડો થયો છે. આ માહિતી ધ લેન્સેટ જર્નલ દ્વારા કરાયેલા સંશોધનમાં સામે આવી છે.

New Corona Virus made up of omicron and delta: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે  ડેલ્ટા ઔપ ઓમિક્રોનથી બનેલો નવો વાયરસ કેટલો ખતરનાક છે. તેને લઈને ઘણા અભ્યાસ  ચાલી રહ્યા ...નિષ્ણાતો કહે છે કે આ કોવિડની સૌથી ગંભીર આડઅસર છે. આ અભ્યાસ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ દરમિયાન કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ સમયગાળા દરમિયાન ૮૪ ટકા દેશોમાં આયુષ્યમાં ઘટાડો થયો હતો.મેક્સિકો સિટી, પેરૂ અને બોલિવિયા જેવા સ્થળો વધુ પ્રભાવિત થયા હતા. કોરોનાએ લોકોના સ્વાસ્થ્યને ગંભીર રીતે જોખમ પહોચાડ્યુ છે. જેમાં પણ કોરોના મહામારીએ વૈશ્વિક સ્તરે લોકોના સ્વાસ્થ્યને પ્રભાવિત કર્યાનું જાણવા મળ્યું છે. સંક્રમણમાં આવેલા લાખો લોકોના જીવ ગયા છે પરંતુ જે લોકો બચી ગયા તેમનો પીછો પણ કોરોના જીવતા સુધી કરી રહ્યો છે. આવા દર્દીઓ કોરોનામાં બચ્યા પરંતુ અત્યારે બીજી અનેક બિમારીઓથી ઘેરાયેલા છે.

સંશોધકોનો અંદાજ છે કે આ સમયગાળા દરમિયાન ૧૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં મૃત્યુદર પુરૂષોમાં ૨૨ ટકા અને સ્ત્રીઓમાં ૧૭ ટકા વધ્યો છે. તેમનો અંદાજ છે કે ૨૦૨૦ અને ૨૦૨૧ માં વૈશ્વિક સ્તરે લગભગ ૧૩૧ મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી લગભગ ૧૬ મિલિયન લોકો કોરોના રોગચાળાને કારણે મૃત્યુ પામ્યા હતા.

સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે ૨૦૨૦ અને ૨૦૨૧ માં રોગચાળા દરમિયાન વૈશ્વિક સ્તરે પુખ્ત મૃત્યુદરમાં વધારો થયો છે. જો કે, કોવિડ-૧૯ રોગચાળા વચ્ચે શિશુ મૃત્યુદરમાં ઘટાડો થતો રહ્યો. ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૧માં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પાંચ લાખ ઓછા મૃત્યુ થયા છે. આ સમયગાળા દરમિયાન ૮૪ ટકા દેશોમાં આયુષ્યમાં ઘટાડો થયો હતો. મેક્સિકો સિટી, પેરુ અને બોલિવિયા જેવા સ્થળો વધુ પ્રભાવિત થયા હતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img