બિહારના CMના શપથ લીધા બાદ નીતિશ કુમારે PM પદને લઈને કર્યું મોટું એલાન, જાણો શું કહ્યું

Share this story

After taking oath as Bihar

  • બિહારમાં મહાગઠબંધનના સીએમ પદના શપથ લીધા બાદ તરત નીતિશ કુમાર રાજકીય વિરોધીઓ પણ તૂટી પડ્યાં હતા અને શબ્દબાણ ચલાવ્યાં હતા.

બિહારના (Bihar) મુખ્યમંત્રી બનતાની સાથે જ નીતિશ કુમારે (Nitish Kumar) પીએમ મોદીને લઈને એવું મોટું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે કહ્યું કે જે લોકો 2014માં સત્તામાં આવ્યાં હતા શું તેઓ 2024માં ફરી વાર વિજયી બનશે. તેમણે કહ્યું કે 2024માં તમામ વિપક્ષ એકજૂટ થઈને ચૂંટણી લડે તેવી મારી ઈચ્છા છે.

2024માં પીએમ પદનો ઉમેદવાર નથી- નીતિશ કુમાર 

નીતિશે પીએમ પદની દાવેદારીને લઈને પણ એક મોટું નિવેદન આપ્યું હતું. નીતિશ કુમારે કહ્યું કે હું પીએમ પદનો ઉમેદવાર નથી.

રાજકીય હરીફો હવે 2024ની ચિંતા કરે :

નીતિશ કુમારે કહ્યું કે તેઓ 2014માં સત્તાએ આવ્યાં હતા પરંતુ તેમણે હવે 2024ની ચિંતા કરવી જોઈએ. તેમણે કહ્યું કે બિહારની નવી સરકારે એકદમ સારી રીતે ચાલશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

8મી વાર મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર :

ઉલ્લેખનીય છે કે નીતિશ કુમારે 8મી વાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ વખતે તેમણે ભાજપને પડતો મૂકીને આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે.

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે નીતિશને આપ્યાં અભિનંદન :

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે નીતિશ કુમાર અને તેમના ડેપ્યુટી તેજસ્વી યાદવને અભિનંદન પાઠવ્યાં હતા.

આ પણ વાંચો :-