HomeSurat Cityસુરતના ગોડાદરામાં કરોડોની કિંમતના નશીલા પદાર્થ સાથે એક શખ્સ ઝડપાયો

સુરતના ગોડાદરામાં કરોડોની કિંમતના નશીલા પદાર્થ સાથે એક શખ્સ ઝડપાયો

Date:

Related stories

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી...

પગાર ઓછો હોય તો પણ કરોડનું ફંડ? સમજો SIP નું આખું ગણિત

દર મહિને માત્ર ₹2,000નું રોકાણ અને ભવિષ્યમાં ₹1 કરોડથી...

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ...

સુરત શહેરમાં નશીલા પદાર્થોના કારણે યુવાધનને નશાની ઘાટ ઉતારતા અટકાવવા પોલીસ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાંથી એસ.ઓ.જી. દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયાનું મત્તા જપ્ત કરવામાં આવ્યું છે અને એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ તેમજ માનવ ગુપ્તચર વ્યવસ્થાના આધારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાં આવેલ પર્વતગામના પ્રિયંકા સિટી સોસાયટી ખાતે રેડ કરી હતી. પોલીસે ત્યાંથી હરીરામ ગોરધનભાઈ ગિલ્લા, મૂળે જાલોર જિલ્લાની સાચોર તાલુકાના ગામ પૂરના રહેવાસી અને હાલમાં સુરતમાં રહેતા ઈસમને પકડી પાડ્યો હતો.

આરોપીની પાસેથી પોલીસને મોટી માત્રામાં નશીલા પદાર્થ મળી આવ્યા છે – જેમાં 51.020 કિ.ગ્રા પોશ ડોડા (પોપીસ્ટ્રો), જેની અંદાજિત કિંમત ₹7,65,300/- થાય છે, તેમજ 580 ગ્રામ અફીણ, જેની કિંમત ₹1,74,000/- જેટલી થાય છે. આ સિવાય ₹1,30,000/- રોકડ રકમ પણ કબજામાં લેવામાં આવી છે. કુલ મળીને ₹10,79,300/- નો મુદ્દામાલ કબજે કરાયો છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું છે કે તે મધ્યપ્રદેશથી નશીલા પદાર્થ લાવતો હતો અને સુરતમાં છુટક વેચાણ કરતો હતો. તેની વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે NDPS ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

સુરત પોલીસ દ્વારા હાલ ચુસ્ત અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે અને શહેરમાંથી નાર્કોટિક્સને પૂર્ણપણે નાબૂદ કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસના અહવાલ પ્રમાણે, આવી કાર્યવાહીથી શહેરના નશાવિરોધી અભિયાનને વધુ બળ મળશે અને નશાખોરીના જાળાને ભંગ કરવાનો પ્રયાસ સફળ બનશે.

Subscribe

Latest stories