રામની નગરી અયોધ્યામાં આજે એટલે કે ૧૧મી નવેમ્બરે રોશનીના પર્વ પર એક મોટો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. સમગ્ર અયોધ્યામાં અંદાજે ૨૫ લાખ દીવા પ્રગટાવીને એક રેકોર્ડ સર્જાશે. આ દરમિયાન માત્ર રામ કી પૌડીના ૫૧ ઘાટ પર ૨૧ લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આજે ફરી એકવાર રામ નગરી અયોધ્યા દીપોત્સવના અવસર પર નવો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. દિવાળીનો મુખ્ય કાર્યક્રમ રામ કી પૌડી ખાતે યોજાશે. જેમાં રાજ્યપાલ આનંદી બેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ અને તેમની કેબિનેટના કેટલાક મંત્રીઓ ઉપસ્થિત રહેશે. સૂર્યાસ્ત બાદ રામ કી પૌડી સંકુલમાં ૨૧ લાખ દીવા પ્રગટાવવામાં આવશે. જ્યારે અયોધ્યાના બાકીના મઠો, મંદિરો અને અન્ય સ્થળો સહિત લગભગ ૨૫ લાખ દીવા પ્રગટાવવામાં આવશે.
કાશીની તર્જ પર સરયુજીની આરતીનું આયોજન કરવામાં આવશે. અયોધ્યામાં વર્ષ ૨૦૧૭થી દીપોત્સવનો પ્રારંભ થયો છે. રોશનીના આ તહેવારમાં તમે પણ ઘરે બેઠા તમારા નામના દીવા પ્રગટાવી શકો છો. આ માટે તમારે હોળી અયોધ્યા નામની એપ ડાઉનલોડ કરવી પડશે જે એન્ડ્રોઇડ અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તમે આ એપ પર ૧૦૧ રૂપિયા ખર્ચીને દીવો પ્રગટાવી શકો છો. ૧૧ દીવા માટે ૨૫૧ રૂપિયા, ૨૧ માટે ૫૦૧ રૂપિયા અને ૫૧ દીવા માટે ૧,૧૦૦ રૂપિયા ઓનલાઈન ખર્ચવા પડશે.
આ પણ વાંચો :-