HomeGujaratવિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સુરક્ષિત કરવા ગુજરાત સરકાર લાવી શકે છે આ નવો...

વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સુરક્ષિત કરવા ગુજરાત સરકાર લાવી શકે છે આ નવો નિયમ

Date:

Related stories

સુરતીઓ માટે રાહતના દરવાજા ખૂલ્યા! રાંદેર કોઝવે પર ફરી વાહનવ્યવહાર થશે ચાલુ

સુરતના રાંદેર-સિંગણપોર વિસ્તારમાં રોજ અવરજવર કરતા વાહનચાલકો માટે આજે...

હવે Tower નહીં, સેટેલાઇટથી મળશે Internet! ભારત માટે Satellite Broadbandનો રસ્તો સાફ

આકાશમાંથી સીધું ઇન્ટરનેટ તમારા સુધી પહોંચાડવાનું સપનું હવે અગાઉ...

લ્યો બોલો ભારતીય ક્રિકેટરની બ્રાન્ડના બુટ પહેરી રમ્યું પાકિસ્તાન!

વુમન્સ એશિયા કપ 2026માં પાકિસ્તાન મહિલા ક્રિકેટર નહીં પણ...

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી ભાજપ માટે કેમ કડવી સાબિત થઈ ?

રાજકોટ લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપનો આંતરિક ડખો...

પંજાબી સિંગર એમી વિર્ક કેનેડામાં કેમ ચર્ચાએ ચઢ્યોે, એ જાણો

કૅનેડામાં પંજાબી ગાયક-અભિનેતા એમી વિર્કના કોન્સર્ટ બાદ બનેલી ફાયરિંગની...
spot_img

ગુજરાતમાં હવે શાળા સંચાલકોની મનમાની પર કડક લગામ કસવાની તૈયારી થઈ રહી છે. સરકારના નવા શિક્ષણ સુધારા બિલમાં શાળાની નોંધણીથી લઈને શિક્ષકોની ભરતી અને શાળા બંધ કરવાની પ્રક્રિયા સુધીના નિયમો કડક બનાવવાનો પ્રસ્તાવ છે. ખાસ કરીને મંજૂરી કે જરૂરી નોટિસ વિના શાળા બંધ કરનાર સંચાલકોને ₹20 લાખ સુધીનો દંડ અને જેલની જોગવાઈ પ્રસ્તાવિત થતાં શિક્ષણ ક્ષેત્રે ચર્ચા શરૂ થઈ છે.

ગુજરાત સરકાર દ્વારા Gujarat Secondary and Higher Secondary Education (Amendment) Bill, 2026 વિધાનસભામાં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. બિલનો હેતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પર નિયમન વધુ મજબૂત કરવાનો છે.

પ્રસ્તાવિત જોગવાઈ મુજબ, બોર્ડની મંજૂરી વિના અથવા નિર્ધારિત પ્રક્રિયા અનુસર્યા વગર શાળા બંધ કરનાર સામે ₹20 લાખ સુધીનો દંડ થઈ શકે છે. શાળા બંધ કરતાં પહેલાં બોર્ડને ઓછામાં ઓછા છ મહિના અગાઉ નોટિસ આપવાની રહેશે. હાલની જોગવાઈની સરખામણીમાં દંડમાં મોટો વધારો સૂચવાયો છે.

નોંધણી વિના શાળા ચલાવવી પણ ભારે પડશે. આવી શાળા સામે ₹10 લાખથી ₹15 લાખ સુધીનો દંડ અને 1થી 2 વર્ષની જેલની જોગવાઈ પ્રસ્તાવિત છે. હાલનો દંડ ₹1 લાખથી ₹2 લાખ છે.

નિયમો વિરુદ્ધ આચાર્ય, શિક્ષક અથવા અન્ય સ્ટાફની નિમણૂક કરનાર સંચાલકો માટે દંડ ₹1,000થી વધારી ₹10 લાખ કરવાની દરખાસ્ત છે. શિક્ષક કે હેડમાસ્ટરના સસ્પેન્શન મામલે બોર્ડ દ્વારા અધિકૃત અધિકારીએ 45 દિવસમાં નિર્ણય લેવો પડશે, નહીં તો સસ્પેન્શન આપોઆપ રદ થવાની જોગવાઈ છે.

બિલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક અને સરકારી સહાયિત શાળાઓને કાયદાકીય માળખામાં વધુ સ્પષ્ટ રીતે લાવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ તમામ ફેરફારો બિલ પસાર થયા બાદ અમલમાં આવશે.

Subscribe

Latest stories

spot_img