HomeGujaratબાળકના નામમાં પિતાનું નામ હવે ફરજિયાત નહીં? જાણો જન્મ પ્રમાણપત્રના નવા નિયમ

બાળકના નામમાં પિતાનું નામ હવે ફરજિયાત નહીં? જાણો જન્મ પ્રમાણપત્રના નવા નિયમ

Date:

Related stories

4 સપ્ટેમ્બરે આ રાશિઓ પર રહેશે ખાસ કૃપા! ધન, કરિયર અને પ્રેમ માટે જાણો આજનું રાશિફળ

4 સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ...

આજે જન્માષ્ટમી પર અષ્ટમી-રોહિણીનો સંયોગ, જાણો કાન્હાના જન્મનું શુભ મુહૂર્ત

શ્રીકૃષ્ણના જન્મોત્સવની રાહ જોઈ રહેલા ભક્તો માટે આ મુહૂર્ત...

284 વખત ચૂંટણી લડી એક પણ નહીં જીતનારા ધરતીપકડ મૃત્યુ સામે પણ હારી ગયા

ચૂંટણી જીતવા માટે નહીં, પરંતુ લોકશાહીમાં સામાન્ય માણસની ભાગીદારીનો...
spot_img

બાળકનું નામ રાખતી વખતે પિતાનું નામ વચ્ચે એટલે કે ‘Middle Name’ તરીકે લખવું હવે ફરજિયાત નહીં રહે. ગુજરાતમાં જન્મ અને મરણના પ્રમાણપત્રમાં નામ, અટક તથા માતા-પિતાના નામમાં સુધારા અંગે નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ નવી સૂચનાઓથી નામમાં ફેરફાર કરાવવા ઇચ્છતા નાગરિકો માટે કયા દસ્તાવેજો જરૂરી છે અને કયા સંજોગોમાં સુધારો થઈ શકે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

નવી માર્ગદર્શિકા મુજબ બાળકના પોતાના નામમાં પિતાનું નામ ‘Middle Name’ તરીકે રાખવું વૈકલ્પિક છે. જોકે તેનો અર્થ એવો નથી કે જન્મના દાખલામાં જૈવિક પિતાનું નામ ‘Father’s Name’ તરીકે મનસ્વી રીતે દૂર કરી શકાય. પિતાનું નામ અને બાળકના પોતાના નામમાં તેના ઉપયોગ વચ્ચેનો તફાવત નવી એડવાઈઝરીમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે.

માતા-પિતા સાથે રહેતા હોય અને બાળકના નામમાં માતાનું નામ અથવા અટકનો સમાવેશ કરવો હોય તો જરૂરી પ્રક્રિયા સાથે પિતાની લેખિત સંમતિના આધારે સુધારો કરી શકાય છે. જ્યારે માતા-પિતાના છૂટાછેડા થયા હોય અને બાળકની કસ્ટડી માતા પાસે હોય, ત્યારે કોર્ટના આદેશમાં સ્પષ્ટ જોગવાઈ હોય તો તેના આધારે બાળકના નામમાં માતાનું નામ અને અટક રાખી શકાય છે.

બાળકના નામ અથવા અટકમાં ફેરફાર માટે સરકારી ગેઝેટ અને સુધારેલા નામવાળા માન્ય સરકારી ફોટો ઓળખપત્ર જેવા દસ્તાવેજો રજૂ કરી શકાય છે. મરણના દાખલામાં પણ મૃતકના નામ પાછળ પિતા અથવા પતિનું નામ ‘Middle Name’ તરીકે રાખવું ફરજિયાત નહીં રહે.

સૌથી મહત્વની રાહત એ છે કે આવા સુધારા માટે દરેક કિસ્સામાં સોગંદનામું કરાવવું જરૂરી નહીં રહે. જરૂરી સ્વ-પ્રમાણિત અને આધારભૂત દસ્તાવેજોના આધારે રજિસ્ટ્રાર અથવા સબ-રજિસ્ટ્રાર નિયમ મુજબ કાર્યવાહી કરી શકશે. નવી એડવાઈઝરી દ્વારા અગાઉની 25 નવેમ્બર 2025ની સૂચનાઓ અંગે રહેલી ગૂંચવણ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Subscribe

Latest stories

spot_img