કેનેડામાં અભ્યાસ પૂરો કરીને નોકરીના સપના જોતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગી શકે છે. અલ્બર્ટામાં Portage College સાથે જોડાયેલા અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) અરજીઓ નકારી કાઢવામાં આવતા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. તેમના મતે, અભ્યાસ દરમિયાન તેમને PGWP માટે પાત્ર હોવાની આશા હતી, પરંતુ બાદમાં કાર્યક્રમની પાત્રતા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
ઇમિગ્રેશન,રેફઉજિસ એંડ સિટિઝનશીપ કેનેડા (IRCC)એ સ્પષ્ટ કર્યું છે કે PGWP માટે અભ્યાસક્રમ ડિગ્રી, ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ તરફ દોરી જતો અને નિર્ધારિત શૈક્ષણિક સંસ્થા (DLI)માં પૂર્ણ કરેલો હોવો જરૂરી છે. ઇમિગ્રેશન,રેફઉજિસ એંડ સિટિઝનશીપ કેનેડાના જણાવ્યા અનુસાર, 2026માં નિયમોમાં મૂળભૂત ફેરફાર કરાયો નથી; જૂની પાત્રતા શરતોને વધુ સ્પષ્ટ કરવામાં આવી છે, ખાસ કરીને non-credit કાર્યક્રમો અંગે.
પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) અરજી રદ થયા પછી વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર ફેલાતી “90 દિવસની આપમેળે રાહત” જેવી માહિતીથી સાવચેત રહેવું જરૂરી છે. 90 દિવસનો નિયમ સામાન્ય રીતે પહેલેથી ગુમાવેલા ટેમ્પરરી રેસિડન્ટ સ્ટેટસને પુનઃસ્થાપિત કરવા માટે લાગુ પડે છે; તે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) રદ થયા પછી મળતી સ્વતંત્ર 90 દિવસની છૂટ નથી.
વિદ્યાર્થીઓએ સૌથી પહેલા પોતાનો હાલનો સ્ટડી પરમિટ અથવા અન્ય કાયદેસર સ્ટેટસ તપાસવો જોઈએ. પાત્રતા હોય તો status સ્ટેટસ રીસ્ટોરેશન માટે અરજી કરી શકાય છે. જે વિદ્યાર્થીઓને લાગે છે કે તેમનો પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) નિર્ણય કાયદેસર રીતે ખોટો છે, તેઓ અધિકૃત ઇમિગ્રેશન વકીલ અથવા Regulated Canadian Immigration Consultantની સલાહ લઈ શકે છે.