HomeNationalનિધનના દોઢ વર્ષ બાદ મનમોહન સિંહને મળી આ કેસમાં ક્લીનચીટ

નિધનના દોઢ વર્ષ બાદ મનમોહન સિંહને મળી આ કેસમાં ક્લીનચીટ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

વર્ષો જૂના કોલસા બ્લોક ફાળવણી કેસમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું નામ આખરે વિવાદોથી મુક્ત થયું છે. સુપ્રીમ કોર્ટે 2015ના ટ્રાયલ કોર્ટના તે આદેશને રદ કરી દીધો છે, જેમાં તેમને કેસમાં આરોપી તરીકે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. કોર્ટે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને માન્ય રાખતા કેસનો અંત લાવી દીધો છે.

સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચ, જેમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહના સામેલ હતા, તેમણે ડૉ. મનમોહન સિંહની અરજી સ્વીકારી હતી. બેન્ચે કહ્યું કે ટ્રાયલ કોર્ટે સીબીઆઈના રિપોર્ટને ફગાવવાનું કોઈ યોગ્ય કારણ નહોતું.

આ કેસમાં સીબીઆઈએ તપાસ બાદ ડૉ. સિંહ વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. જોકે 2015માં વિશેષ સીબીઆઈ કોર્ટે આ રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરીને તેમને સહિત અન્ય લોકોને સમન્સ પાઠવ્યા હતા.

ડૉ. મનમોહન સિંહનું ડિસેમ્બર 2024માં નિધન થયું હતું. તેમ છતાં સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી ચાલુ રાખી હતી, કારણ કે ટ્રાયલ કોર્ટની કેટલીક ટિપ્પણીઓ તેમના નામ સાથે જોડાયેલી હતી. કોર્ટે હવે આ ટિપ્પણીઓ પણ રેકોર્ડમાંથી દૂર કરી દીધી છે.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ભલે કેસનો વ્યવહારિક અંત આવી ગયો હોય, પરંતુ પૂર્વ વડાપ્રધાન સામેની ટિપ્પણીઓ દૂર કરવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા કોલસા બ્લોક કેસમાં ડૉ. સિંહને મોટી રાહત મળી છે.

Subscribe

Latest stories

spot_img