HomeHealth & Fitnessખાંસીની દવા વર્ષો સુધી લીધી… પણ સાચું કારણ તો ઘરમાં જ હતું!

ખાંસીની દવા વર્ષો સુધી લીધી… પણ સાચું કારણ તો ઘરમાં જ હતું!

Date:

Related stories

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા...

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઝાયડસ સ્કૂલમાં રજા જાહેર

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં...

Appleના નવા Foldable Phone પર Samsungનો કટાક્ષ!

એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચ સાથે જ ટેક...
spot_img

તેમને ઘણા વર્ષોથી લાંબા સમય સુધી ચાલતી ખાંસી (Chronic Cough) ની તકલીફ હતી. વિવિધ ડોક્ટરો પાસે સારવાર લીધી હતી. દવા ચાલુ હોય ત્યાં સુધી રાહત રહેતી, પરંતુ દવા બંધ કરતાં ફરી ખાંસી શરૂ થઈ જતી.

તેમને એલર્જિક ખાંસી માનીને વારંવાર નીચેની દવાઓ આપવામાં આવતી હતી:

  • એન્ટી-એલર્જી દવાઓ
  • ઇન્હેલર અને નેબ્યુલાઇઝર
  • ⁠ક્યારેક એન્ટીબાયોટિક
  • ક્યારેક સ્ટેરોઇડ
  • ખાંસીની સિરપ વગેરે

આ રીતે થોડો સમય સારું રહેતું, પરંતુ સમસ્યા કાયમી રીતે દૂર થતી નહોતી.

ત્યારબાદ તેમણે ડૉ. તરેશ પટેલ (એલર્જી & ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ) નો સંપર્ક કર્યો.

ડૉક્ટરે ખૂબ વિગતવાર હિસ્ટ્રી લીધી અને Skin Prick Test (SPT) કર્યું. ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેમને Cat Dander (બિલાડીના વાળ/ચામડીના કણ) થી ખૂબ જ તીવ્ર એલર્જી હતી.

પછી પૂછવામાં આવ્યું કે ઘરમાં બિલાડીનો સંપર્ક છે કે નહીં. ત્યારે એક રસપ્રદ માહિતી સામે આવી — તેમના પતિને બિલાડીઓનો ખૂબ શોખ હતો અને ઘરમાં 6–7 બિલાડીઓ રાખેલી હતી.

મહત્વની વાત એ હતી કે મહિલાને લગ્નના 2–3 વર્ષ પછી ખાંસી શરૂ થઈ હતી અને બિલાડીઓના એલર્જનના સતત સંપર્કથી સમસ્યા ધીમે ધીમે વધતી ગઈ હતી.

ડૉક્ટરે સલાહ આપી:

✔️ બિલાડીઓથી શક્ય તેટલું દૂર રહેવું
✔️ બિલાડીઓને ઘરની બહાર રાખવી
✔️ બિલાડીઓને દૂર કર્યા પછી ઘરની ડીપ ક્લીનિંગ કરાવવી
✔️ દવાઓ ધીમે ધીમે ઘટાડવી

દંપતીએ ડૉક્ટરની સલાહનું સંપૂર્ણ પાલન કર્યું.

👉 થોડા મહિનાઓમાં ખાંસી નોંધપાત્ર રીતે ઓછી થઈ ગઈ.
👉 દવાઓ ધીમે ધીમે બંધ કરવામાં આવી.
👉 બિલાડીના સંપર્કથી દૂર રહ્યાના 6–8 મહિના પછી તેઓ કોઈ પણ જાતની દવા વગર સંપૂર્ણપણે ખાંસી મુક્ત જીવન જીવવા લાગ્યા.

આ કેસમાંથી શું શીખવા મળે?

જો ખાંસી:

  • 8 અઠવાડિયા કરતાં વધુ સમય રહે,
  • દવા બંધ કરતાં ફરી શરૂ થઈ જાય,
  • વારંવાર ઇન્હેલર કે સ્ટેરોઇડની જરૂર પડે,

તો માત્ર દવા લેતા રહેવાને બદલે ખાંસીનું સાચું કારણ શોધવું ખૂબ જરૂરી છે.

ઘરમાં રહેલા પાળતુ પ્રાણી, ધૂળ, ફૂગ, AC, ગાદલા-તકિયા જેવા એલર્જન ઘણા દર્દીઓમાં લાંબા સમયની ખાંસીનું મુખ્ય કારણ બની શકે છે.

સાચું કારણ શોધો — યોગ્ય સારવાર મેળવો — અને અનાવશ્યક દવાઓથી બચો.

ડૉ. તરેશ પટેલ
એલર્જી અને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ
ચેસ્ટ કેર હોસ્પિટલ , પાલ-અડાજણ, સુરત
📞 94288 60138

Subscribe

Latest stories

spot_img