HomeNationalસરકારે 39 જરૂરી દવાઓના નવા ભાવ જાહેર, વધુ વસૂલાત કરશો તો થશે...

સરકારે 39 જરૂરી દવાઓના નવા ભાવ જાહેર, વધુ વસૂલાત કરશો તો થશે કડક કાર્યવાહી

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત રાષ્ટ્રીય ઔષધિ ભાવ નિર્ધારણ પ્રાધિકરણ (NPPA) એ ડ્રગ્સ (પ્રાઇસ કંટ્રોલ) ઓર્ડર (DPCO), 2013 હેઠળ 39 નવી દવા ફોર્મ્યુલેશનના રિટેલ ભાવ નક્કી કર્યા છે. આ નિર્ણયનો હેતુ દર્દીઓને જરૂરી દવાઓ વાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવાનો છે. આ અંગેની સત્તાવાર સૂચના 8 જુલાઈએ જાહેર કરવામાં આવી હતી.

દર્દીઓને મળશે સીધો લાભ
નવી કિંમતોમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, HIV, હૃદયરોગ અને આંખના ચેપ જેવી ગંભીર બીમારીઓમાં ઉપયોગમાં લેવાતી દવાઓનો સમાવેશ થાય છે. સરકારનું માનવું છે કે નવી કિંમતોથી દર્દીઓ પરનો આર્થિક બોજ ઓછો થશે. જોકે, આ ભાવ ઘટાડાનો આદેશ નથી પરંતુ નવી દવા ફોર્મ્યુલેશન માટે રિટેલ ભાવ નક્કી કરવાનો આદેશ છે.

આ દવાઓના ભાવ નક્કી કરાયા
NPPA દ્વારા કેટલીક મહત્વપૂર્ણ દવાઓના રિટેલ ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે.

  • એમ્લોડિપાઇન + બિસોપ્રોલોલ + ટેલ્મિસાર્ટન ટેબ્લેટ – પ્રતિ ટેબ્લેટ ₹14.74
  • નેપાફેનાક + મોક્સીફ્લોક્સાસિન ઓપ્થેલમિક સોલ્યુશન (આઈ ડ્રોપ) – પ્રતિ મિલીલીટર ₹68.64
  • ક્લોપિડોગ્રેલ + એસ્પિરિન + એટોરવાસ્ટેટિન કેપ્સ્યુલ – પ્રતિ કેપ્સ્યુલ ₹6.37

દુકાનોમાં ભાવ યાદી દર્શાવવી ફરજિયાત

NPPAએ તમામ ઉત્પાદકો, ડીલરો અને રિટેલરોને સૂચના આપી છે કે તેઓ ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી ભાવ યાદી અને પૂરક ભાવ યાદી (જો હોય તો) પોતાની દુકાનના મુખ્ય સ્થળે સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરે. જેથી ગ્રાહકો સરળતાથી દવાઓની મંજૂર કિંમત જાણી શકે.

નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
સત્તાવાર સૂચના મુજબ જો કોઈ ઉત્પાદક અથવા માર્કેટિંગ કંપની જાહેર કરાયેલા રિટેલ ભાવ કરતાં વધુ કિંમત વસૂલશે, તો તેની સામે DPCO, 2013 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આવી કંપનીએ ગ્રાહકો પાસેથી વધુ વસૂલેલી રકમ વ્યાજ સહિત સરકાર પાસે જમા કરાવવી પડશે.

ગ્રાહકો માટે શું મહત્વનું?
નવી વ્યવસ્થાથી જરૂરી દવાઓના ભાવમાં પારદર્શિતા વધશે અને દર્દીઓને યોગ્ય કિંમતે દવાઓ મળશે. સાથે જ વધુ કિંમત વસૂલતા ઉત્પાદકો અને વેચાણકારો સામે કડક કાર્યવાહી થવાને કારણે ગ્રાહકોના હિતનું વધુ સારું રક્ષણ થશે.

Subscribe

Latest stories

spot_img