HomeNationalઉત્તર પ્રદેશમાં વાવાઝોડાથી 89 લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાથી 89 લોકોના મોત

Date:

Related stories

શ્રીરામ સાથે છેતરપિંડી? આ મંદિરને દાનનો આટલાં કરોડનો ચેક બાઉન્સ

એક તરફ આયોધ્યાના રામ મંદિરમાં ટ્રસ્ટના કર્મચારિઓ જ કરોડો...

VIDEO: વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફીમાં 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી રચ્યો ઈતિહાસ

માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ...

VIDEO નેપાળ પૂરનો કહેરઃ મૃત્યુઆંક 903ને પાર, હજારો લાપતા; ભારતીયોને લઈને પણ સામે આવી મોટી અપડેટ

નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓના વિનાશક પૂર બાદ તબાહીનું...

નાણાં, નોકરી અને પરિવાર… 31 ઓગસ્ટે કોની કિસ્મત લેશે વળાંક? વાંચો આજનું રાશિફળ

૩૧ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ...
spot_img

દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. કેટલીક જગ્યાએ ભારે વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી, જ્યારે અન્યત્ર કરા પડ્યા હતા. ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં 89 લોકોના મોત થયા હતા. દિલ્હીથી ઉત્તરાખંડ સુધી, પ્રતિકૂળ હવામાને સમગ્ર પ્રદેશમાં વિનાશ વેર્યો હતો.

દિલ્હીથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. બુધવારે, ઘણા વિસ્તારોમાં ભારે વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડ્યા હતા. આ આપત્તિમાં  ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં 54 લોકો માર્યા ગયા છે. અચાનક હવામાનમાં થયેલા પલટાથી ભદોહી જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે 11 લોકોનાં મોત થયા છે. અનેક જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા અને રસ્તાઓ પર પડી ગયા, જેના કારણે ટ્રાફિક ગંભીર રીતે ખોરવાઈ ગયો.

હરદોઈ જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદ વચ્ચે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શૌચાલયની દિવાલ તૂટી પડતાં એક છોકરીનું મોત થયું, જ્યારે વીજળી પડવાથી બીજી કિશોરીનું મોત થયું હતો. કાનપુર દેહાતના કાપદહાટ ગ્રામ પંચાયતના માજરા ભૈથ્રી ગામમાં વીજળી પડવાથી એક યુવતીનું મોત થયું હતું, જ્યારે આશરે 35 બકરીઓ પણ વીજળી પડવાથી ઘાયલ થઈ હતી.

ફતેહપુરમાં પણ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી, જેમાં પાંચ મહિલાઓ સહિત નવ લોકો માર્યા ગયા હતા અને 17 અન્ય ઘાયલ થયા હતા. આઠ પશુઓ પણ માર્યા ગયા હતા. આ ઘટનાઓ સદર અને ખાગા તહસીલ વિસ્તારોમાં બની હતી. કૌશાંબી જિલ્લાના સિરાથુ તહસીલ વિસ્તારના કેસરી ગામમાં, એક ભારે ઝાડની ડાળી પડી ગઈ હતી, જેમાં એક વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, તારાસૌરા ગામમાં જોરદાર વાવાઝોડા પછી લાગેલી ભીષણ આગને કારણે એક ડઝન ઘરોમાં આગ લાગી હતી, જેમાં એક ભેંસ બળીને ખાખ થઈ ગઈ હતી.

Subscribe

Latest stories

spot_img