HomeGujaratદક્ષિણ ગુજરાતની વાસદા નજીક ભૂકંપના આંચકા, જાણો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા

દક્ષિણ ગુજરાતની વાસદા નજીક ભૂકંપના આંચકા, જાણો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા વાંસદા વિસ્તારમાં આજે અચાનક ભૂકંપના આચંકા અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર અંદાજે 3.4 તીવ્રતાનો આ ભૂકંપ નોંધાયો હતો, જેના કારણે લોકો ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા.

ભૂકંપનું એપીસેન્ટર વાંસદાથી અંદાજે 22 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં મોટા આંચકા અનુભવાતા લોકોમાં અચાનક ગભરાટ ફેલાયો હતો. સદનસીબે, હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા નથી. ભૂકંપવિજ્ઞાનીઓ મુજબ, 3 થી 4 તીવ્રતાના ભૂકંપ સામાન્ય રીતે નાની અસર કરતા હોય છે, પરંતુ લોકો તેને સરળતાથી અનુભવી શકે છે.

ગુજરાતમાં અગાઉ પણ આ પ્રકારના હળવા આંચકા નોંધાતા રહ્યા છે, જે સામાન્ય ભૂકંપીય પ્રવૃત્તિનો ભાગ ગણાય છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. નિષ્ણાતોએ લોકોને સાવચેતી રાખવા અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપી છે.

Subscribe

Latest stories