મહારાષ્ટ્રના નાસિકમાં રવિવારે એક ગંભીર અકસ્માત થયો હતો, જ્યાં એક ઈનોવા કાર 800 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક જ પટેલ પરિવારના 6 લોકોના મોત થયા છે. આ શ્રદ્ધાળુઓ માતા સપ્તશ્રૃંગી દેવીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
ઓવરટેક દરમિયાન કાર બેકાબૂ થઈને ખાઈમાં ખાબકી
આ અકસ્માત વાણી ગામની નજીક ભાવરી ઝરણા પાસે ઘાટના વળાંક પર થયો હતો. માહિતી અનુસાર ઈનોવા કાર (MH15 BN 555) ઘાટ માર્ગ પર ઓવરટેક કરતી વખતે અચાનક બેકાબૂ થઈ ગઈ અને સીધી ખાઈમાં પડી હતી.
મૃતકોની ઓળખ
મૃતકોની ઓળખ કીર્તિ પટેલ (50), રસીલા પટેલ (50), વિઠ્ઠલ પટેલ (65), લતા પટેલ (60), પચન પટેલ (60) અને મણિબેન પટેલ (60) તરીકે થઈ છે. આ તમામ લોકો પિંપળગાંવ બસવંતના રહેવાસી હતા અને તેઓ પરસ્પર સગા-સંબંધી હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને ગ્રામ પંચાયતના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા. જે સ્થળે કાર પડી છે તે જગ્યા અત્યંત ખતરનાક અને લગભગ સીધી 800 ફૂટ ઊંડી ખાઈ છે. આ કારણે બચાવ ટીમને નીચે ઉતરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અહેવાલ મુજબ મૃતદંડોને હજી સુધી બડાર કાઢી શકાયા નથી. નાસિકથી વધારાની બચાવ ટુકડીને બોલાવવામાં આવી છે અને બચાવ અભિયાન ચાલુ છે.