HomeNationalલોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, NIAએ કસ્ટડીમાં લીધો

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, NIAએ કસ્ટડીમાં લીધો

Date:

Related stories

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું,...

મેડિકલ સાયન્સ માટે પણ પડકાર! 4 હાથ-4 પગવાળા બાળકનો જન્મ, ડોક્ટરોએ શું કહ્યું?

સામાન્ય રીતે સંતાન જન્મે એટલે પરિવારમાં ખુશી છવાઈ જતી...

‘મહિલાઓને શું પહેરવું એ કહેવાનું ક્યારે બંધ થશે?’ કૃત્તિ સેનનનો ટ્રોલર્સને જવાબ

રક્ષાબંધન જેવી પરંપરા અને પહેરવેશને લઈને શરૂ થયેલી ચર્ચાએ...

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઇને અમેરિકાથી ભારત લાવી દેવાયો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તેને કસ્ટડીમાં લઈ લેવાયો છે. એરપોર્ટ પરથી સીધો તેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવાશે. અનમોલ બાબા સિદ્દિકી અને સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ, સલમાન ખાનના ઘર પર ફાયરિંગ સહિતના હાઈપ્રોફાઈલ કેસમાં આરોપી છે.

18થી વધુ કેસ દાખલ છે અનમોલ સામે
ઉલ્લેખનીય છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ મંગળવારે અનમોલ બિશ્નોઈને ભારત ડિપોર્ટ કર્યો હતો. NIA ટીમ દ્વારા અનમોલને એરપોર્ટ પર તરત જ અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયા બાદ NIA તેની કસ્ટડી લેશે. તેની સામે 18 થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં હથિયારો સપ્લાય અને લોજિસ્ટિકલ સપોર્ટનો સમાવેશ થાય છે.

NIAના અધિકારીએ આપી માહિતી
NIAના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અનમોલ લોરેન્સ બિશ્નોઈનો મુખ્ય વિદેશી હેન્ડલર હતો. તે એન્ક્રિપ્ટેડ ચેનલો દ્વારા ખંડણી, ધમકીઓ અને એસાઈનમેન્ટનું સંચાલન કરતો હતો. હવે તે કસ્ટડીમાં હોવાથી, ઘણા રહસ્યો ખુલશે.”

ઘણા ગુનાહિત કેસોમાં નોંધાયેલ નામ
માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં એને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની કસ્ટડીમાં લેવામાં આવશે, કારણ કે બાબા સિદ્દીકી હત્યાકાંડ સહિતના ઘણા મોટા ગુનાહિત કેસોમાં તેની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. યાદ રહે કે 12 ઑક્ટોબર 2024ના રોજ મુંબઈમાં NCP નેતા અને ભૂતપૂર્વ મહારાષ્ટ્ર મંત્રી બાબા સિદ્દીકીની દિવસદહાડે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

2024 માં અમેરિકા ભાગ્યો
આ ચોંકાવનારી ઘટનાની સાજિશ રચવાનો અને ફંડિંગ કરવાનો મુખ્ય આરોપ અનમોલ બિશ્નોઈ પર જ છે. ઘટના પછીથી તે ફરાર હતો અને જૂન 2024માં અમેરિકા ભાગી ગયો હતો, જ્યાં તેણે રાજકીય આશ્રય માંગ્યો હતો. હવે અનમોલ બિશ્નોઈની ભારત વાપસી બાદ પોલીસ અને તપાસ એજન્સીઓને ઘણા મોટા ખુલાસાઓ થવાની આશા છે. લોઅરન્સ બિશ્નોઈ ગેંગના નેટવર્ક પર પણ મોટો ઝાટકો લાગવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Subscribe

Latest stories