HomeNationalબંગાળ-સિક્કિમમાં કુદરતી આપત્તિ: પૂર અને ભૂસ્ખલનને કારણે 20ના મોત

બંગાળ-સિક્કિમમાં કુદરતી આપત્તિ: પૂર અને ભૂસ્ખલનને કારણે 20ના મોત

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

ભારતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયનો સમય આવી ગયો છે, પરંતુ દેશના ઘણા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર બંગાળ અને સિક્કિમમાં વરસેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. પૂર અને ભૂસ્ખલનને કારણે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગ જીલ્લામાં સૌથી વધુ નુકશાન થયું છે, સિક્કિમના મોટા ભાગના વિસ્તારમાં જનજીવન ખોરવાઈ ગયું છે, અત્યાર સુધી 20 લોકોના મોત નીપજ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાનહાની અંગે શોક વ્યક્ત કર્યો છે.

અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લામાં અલગ અલગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત નોંધાયા છે, હજુ પણ કેટલાક લોકો ગુમ છે. આ મૃત્યુઆંક વધવાની શકયતા છે. દાર્જિલિંગ જિલ્લાના મિરિકમાં ભૂસ્ખલનથી છ લોકોના મોત થયા છે. મિરિક અને કુર્સિઓંગ શહેરોને જોડતો ડુડિયા આયર્ન બ્રિજ ધરાશાયી થતા 7 લોકોના મોત થયા છે.

મુશ્કેલ પરિસ્થિતિમાં બચાવ કાર્ય:
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્થાનિક વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો બચાવ અને રાહત કામગીરી કરી રહી છે, પરંતુ વરસાદ સતત વરસી રહ્યો છે, જેને કારણે બચાવ કાર્ય મુશ્કેલ બની રહ્યું છે. વહીવટીતંત્રે લોકોને પહાડી રસ્તાઓ અને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરી છે.

મુખ્ય પ્રધાન મુલાકાત લેશે:
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પૂરથી પ્રભાવિત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાનું વચન આપ્યું છે. તેઓ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનું આંકલન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ પણ જાનમાલના નુકશાન અંગે દુખ વ્યક્ત કર્યું છે અને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.

Subscribe

Latest stories

spot_img