HomeGujaratસુરત-દુબઈ ઈન્ડિગો ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ

સુરત-દુબઈ ઈન્ડિગો ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

સુરતથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એન્જિનની સમસ્યા સર્જાતા તેને અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. મધદરિયે પ્લેનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી, જેથી પાઇલોટે ત્વરિત નિર્ણય લઈ પ્લેનને અમદાવાદ તરફ ડાયવર્ટ કર્યું હતું. આ નિર્ણયને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં, અમદાવાદ એરપોર્ટ પર પ્લેનનું ટેક્નિકલ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ અને ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આ ઘટનાને કારણે પ્લેનમાં સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જવા માટે ઈન્ડિગોની ફ્લાઈટ 150થી વધુ મુસાફરો સાથે ઉડાન ભરી હતી. પરતુ ફ્લાઈટમાં મધદરિયે એક એન્જિનના અચાનક થામી સર્જાઈ હતી. પાયલટને આ ખામીની જાણ થતાં તેણે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને ફ્લાઈટને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાયલટે ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લીધો હતો.

મુસાફરો માટે અન્ય વિમાનની વ્યવસ્થા કરી
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગ બાદ તપાસ કરવામાં આવી રહી છે અને એન્જિનમાં ખામીનું કારણ શોધવામાં આવી રહ્યું છે. બીજી તરફ મુસાફરોને દુબઈ પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી વિમાન બદલ્યા બાદ અમદાવાદથી દુબઈ તરફ મુસાફરોને લઈ પ્રસ્થાન કર્યું. નોંધનીય છે કે, પાયલટના આ નિર્ણયને કારણે એક મોટી દુર્ઘટના ટળી શકી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના
12 જૂનના રોજ ગુજરાતના અમદાવાદથી લંડન જઈ રહેલું એક વિમાન ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા. ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. વિમાનમાં રહેલા અન્ય તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અભિનેતા સંજય કપૂર પણ જીવ ગુમાવનારાઓમાં સામેલ હતા. આ વિમાન એક રહેણાંક ઇમારત સાથે અથડાયું હતું. આવી સ્થિતિમાં, ઇમારતમાં હાજર લોકોનું પણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં કુલ 265 લોકોના મોત થયા હતા.

Subscribe

Latest stories