HomeNationalમુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો: બોમ્બે હાઈકોર્ટએ 11 આરોપીઓને નિર્દોષ જાહેર...

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો: બોમ્બે હાઈકોર્ટએ 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

વવર્ષ 2006 મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં અંદાજે 19 વર્ષ બાદ બોમ્બે હાઈકોર્ટે આજે નીચલી કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા તમામ 12 લોકોને છોડી મૂકવા આદેશ કર્યો છે. આ બ્લાસ્ટમાં 189 લોકોના મોત થયા હતા અને 800થી વધુ લોકો ઘાયલ થયા હતા. અહીં નોંધનિય છે કે, વર્ષ 2015 માં નીચલી કોર્ટે આ તમામ 12 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા અને એમાંના પાંચ આરોપીઓને મોતની સજા અને બાકીનાને આજીવન કેદની સજા સંભળાવી હતી.

મુંબઈ સહિત દેશને હચમચાવી દેનારા આ સિરિયલ બ્લાસ્ટ કેસ સંદર્ભે બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર, જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ શ્યામ ચાંડકની બેન્ચે કહ્યું કે, પ્રોસિક્યૂશન આ કેસમાં આરોપ સાબિત કરવામાં અસફળ રહ્યું છે. એટલું જ નહીં કોર્ટે પ્રોસિક્યૂશનના તમામ સાક્ષીઓના નિવેદનોને પણ અવિશ્વસનિય ગણાવ્યા. કોર્ટે કથિત રીતે ટાંક્યું કે, ધમાકાના 100 દિવસ બાદ ટેક્સી ડ્રાઇવર તેમજ અંદર હાજર લોકો માટે આરોપીઓને યાદ રાખવાનું કોઇ નહીં નથી.

શું છે મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ?
આ કેસ વિશે વાત કરીએ તો 11 જુલાઈ 2006 ના રોજ સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 189 લોકોના મોત થયા હતા અને 824 જેટલા લોકો ઘાયલ થયા હતા. જે સંદર્ભે મકોકા અંતર્ગત લાંબી સુનાવણી બાદ સ્પેશિયલ કોર્ટે ઓક્ટોબર 2015 માં પાંચ આરોપીઓને મોતની સજા અને સાત આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી.

નીચલી કોર્ટે મોતની સજા સંભળાવી હતી
મકોકા હેઠળ ચાલેલા આ કેસમાં સ્પેશિયલ કોર્ટે કમાલ અંસારી, મોહમ્મદ ફૈસલ અતાઉર રહમાન શેખ, એહતેશામ કુતુબુદ્દીન સિદ્દીકી, નવીદ હુસૈન ખાન અને આસિફ ખાનને બોમ્બ લગાવવા મામલે દોષિત ઠેરવી મોતની સજા સંભળાવી હતી. જોકે કમાલ અંસારીનું 2021માં જેલમાં કોવિડને લીધો મોત થયું હતું.

Subscribe

Latest stories

spot_img